કરણ જોહર ફિલ્મ ઑફર કરે ત્યારે સ્ક્રીપ્ટ વાંચવાની જરૂર નથી લાગતી : આલિયા
આલિયા ભટ્ટ અને કરણ જોહર
આલિયા ભટ્ટનું કહેવું છે કે તેને જ્યારે કરણ જોહર ફિલ્મ ઑફર કરે છે તો તેને સ્ક્રીપ્ટ વાંચવાની જરૂર નથી લાગતી. કરણની ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’થી આલિયાએ બૉલીવુડમાં પદાર્પણ કર્યું હતું. કરણની આવનારી ફિલ્મ ‘તખ્ત’માં આલિયા અગત્યની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મને મુગલ એરાની ‘કભી ખુશી કભી ગમ’ કહેવામાં આવી રહી હોવા વિશે પૂછતાં આલિયાએ હસતાં-હસતાં કહ્યું હતું કે ‘કરણ સિવાય બીજું કોણ છે જે મુગલ એરાની ‘ધ્૩ઞ્’ બનાવી શકે છે? ખરું કહું તો મને ખબર નથી કે ‘તખ્ત’ની સ્ટોરી શું છે. કરણે એક દિવસ મને કૉલ કર્યો હતો અને કહ્યું હતું કે તે એક ફિલ્મ બનાવી રહ્યો છે જેમાં મારે કામ કરવાનું છે.
આ પણ વાંચોઃ કલંકમાં આલિયા ભટ્ટનું પર્ફોર્મન્સ જોઈને ભાવુક થયો કરણ જોહર
ADVERTISEMENT
મેં એ માટે હા પાડી કહ્યું હતું કે મારે ફિલ્મની સ્ટોરી સાંભળવાની પણ જરૂર નથી. અમે બલ્ગેરિયામાં હતાં ત્યારે મેં તેને મારે શું કામ કરવાનું છે એ વિશે પૂછ્યુંં હતું. જોકે હું આવું ફક્ત કરણની સાથે જ કરું છું, કારણ કે તેની સાથે હું આંખ બંધ કરીને કામ કરી શકું છું. જો હું અન્ય કંઈ કામ કરતી હોઉં તો પણ કરણ માટે એ તમામ છોડી શકું છું. હું તેને એટલો પ્રેમ કરું છું અને તેની ઋણી પણ છું.’