Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાત્રના નામથી લોકો મને ઓળખે એવી મારી ઇચ્છા છે : વરુણ શર્મા

પાત્રના નામથી લોકો મને ઓળખે એવી મારી ઇચ્છા છે : વરુણ શર્મા

08 June, 2019 11:09 AM IST |

પાત્રના નામથી લોકો મને ઓળખે એવી મારી ઇચ્છા છે : વરુણ શર્મા

વરુણ શર્મા

વરુણ શર્મા


વરુણ શર્માનું કહેવું છે કે તેની ઇચ્છા છે કે લોકો તેને ફિલ્મોમાં ભજવવામાં આવનારાં તેનાં કૅરૅક્ટર્સના નામે ઓળખે. ‘ફુકરે’માં ભજવેલા તેના પાત્ર ચુચાના નામથી તે ખાસ્સો ફેમસ થયો છે. પોતાની ઇચ્છા વિશે જણાવતાં વરુણ શર્માએ કહ્યું હતું કે ‘લોકો જ્યારે મને ચુચા કહીને બોલાવે છે તો મને ખૂબ ખુશી થાય છે. કોઈ પણ ઍક્ટર માટે આ એક મોટી સિદ્ધિ કહેવાય કે લોકો તેને તેના કૅરૅક્ટરના નામે બોલાવે. મારો કહેવાનો અર્થ એ છે કે જો હું તમને કહું કે કોઈ કૅરૅક્ટરનાં નામ આંગળીના વેઢે એક મિનિટમાં ગણી બતાવો તો એ ખૂબ ઓછાં હશે. એમાં પણ જો મારું કૅરૅક્ટર તમારી એ આંગળીના વેઢે આવી જાય તો એ મારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.’

આ પણ વાંચો : ફરીથી અમિતાભ બચ્ચનની જગ્યા લેશે હૃતિક રોશન?



પોતાની પહેલી ફિલ્મ ‘ફુકરે’ વિશે વરુણ શર્માએ કહ્યું હતું કે ‘આ ફિલ્મ દ્વારા મારી બૉલીવુડમાં એન્ટ્રી થઈ હતી. એથી એ કૅરૅક્ટરથી લોકો મને ઓળખે છે એનાથી વિશેષ બાબત કોઈ ન હોઈ શકે. જો હું એ ઇમેજમાંથી બહાર આવવાનું વિચારું તો એ માટે મારે સખત મહેનત કરવી પડશે અને એવી આશા રાખું છું કે લોકો મારી આવનારી ફિલ્મોમાં હું જે પાત્ર ભજવીશ એને લઈને પણ મને યાદ રાખે. એથી મારી ઇચ્છા છે કે હું જે કૅરૅક્ટર ભજવું એ તમામ હંમેશાં માટે યાદગાર બની જાય.’


Whatsapp-channel Whatsapp-channel

08 June, 2019 11:09 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK