Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થઇ શકે છે આ કલાકારની એન્ટ્રી !

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થઇ શકે છે આ કલાકારની એન્ટ્રી !

06 May, 2019 12:47 PM IST |

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં થઇ શકે છે આ કલાકારની એન્ટ્રી !

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ટીવી પોપ્યુલર શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તેના કેરેક્ટર દયા બેનને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચમાં છે. દિશા વાકાણી છેલ્લા ઘણા સમયથી શૉથી બહાર છે. મેટરનીટી લીવ પછી દિશા વાકાણીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના શૉ સાથે પાછા જોડાયા નથી જેના કારણે ઘણી ચર્ચાઓ બહાર આવી હતી. પહેલા ખબગ આવી હતી કે તે શૉ સાથે જોડાશે જો કે ત્યારબાદ બહાર આવ્યું હતું કે દિશા વાકાણી જો શૉ સાથે નહી જોડાય તો તેમને રિપ્લેસ કરવામાં આવશે. ચર્ચાઓ વચ્ચે ફરી એક સ્ટેટમેન્ટ શૉ મેકર્સ તરફથી આપવામાં આવ્યું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની દિશા વાકાણી શૉમાં પાછા ફરી શકે છે. ગત દિવસોમાં પ્રોડ્યૂસર અસિત મોદીએ કહ્યું હતું કે, દિશા વાકાણી ઈચ્છે તો તે પરત ફરી શકે છે.' મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, દિશા વાકાણીએ પણ શૉમાં પરત ફરવા માટે પહેલ કરી છે. સ્પોટબૉયના અહેવાલ અનુસાર, દયા બેન ફેમ દિશા વાકાણીના ચાહકો માટે સારી ખબર આવી શકે છે.



આ પણ વાંચો: ઓ મા, માતાજી ! હવે દર્શકો પસંદ કરશે કોણ બનશે દયાભાભી !


દિશા વાકાણી સપ્ટેમ્બર 2017થી જ શૉથી બહાર છે. શૉના મેકર્સ દ્વારા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી જો કે ત્યારબાદ નિર્ણય લેવાયો હતો કે જો તે શૉ જોઈન નહી કરે તો તેમની જગ્યાએ રિપ્લેસ કરવામાં આવશે. હવે મળતી માહિતીઓ પ્રમાણે લાગી રહ્યું છે કે દિશા વાકાણી શૉમાં રિએન્ટ્રી કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

06 May, 2019 12:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK