સુશાંત સિંહ રાજપુતની બહેનને લગ્નમાં ધ્રુસકે ધ્રસુકે રડતા ભાઈની યાદ આવી
સુશાંત સિંહ રાજપૂત બહેન શ્વેતા સિંહ કિર્તિ સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આ દુનિયામાંથી વિદાયને બે મહિના કરતાં વધુ સમય પસાર થઈ ગયો છે. જોકે પરિવાર અને ફૅન્સના દિલમાં આજે પણ અભિનેતા જીવંત છે. આ આત્મહત્યાના કેસની તપાસ અત્યારે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) કરી રહી છે. ફૅન્સ દરરોજ સોશ્લ મીડિયા પર અભિનેતાના વીડિયો અને ફોટો પોસ્ટ કરતાં જ હોય છે. સાથે જ સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તી (Shweta Singh Kirti) અભિનેતાના મૃત્યુ બાદ સતત સોશ્યલ મીડિયા પર કંઈકને કંઈક પોસ્ટ કરતી હોય છે. તાજેતરમાં તેણે લગ્ન સમયની તસવીરો અને વીડિયો પોસ્ટ કરીને ભાઈને યાદ કર્યો છે.
સુશાંત સિંહ રાજપૂતની બહેન શ્વેતા સિંહ કિર્તીએ હવે સુશાંતનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શ્વેતાના લગ્નના રિસેપ્શનનો છે. આ વીડિયોમાં સુશાંત પણ જોવા મળી રહ્યો છે. વીડિયોને શૅર કરતા શ્વેતાએ લખ્યું, 'ભાઈ મારા લગ્નના રિસેપ્શનમાં, મને ગળે લગાવતા. મને યાદ છે કે, રિસેપ્શનના એક દિવસ પહેલા તેણે મને ગળે લગાવી હતી અને અમે બહુ રડયાં હતાં. મારી ઈચ્છા છે કે કદાચ અમે એ સમયમાં પાછા જઈ શકીએ.'
ADVERTISEMENT
Bhai at my wedding reception, giving me a hug. I remember a day prior to the reception how we had hugged and cried, I wish I could just go back in time. @itsSSR https://t.co/6N5mvXW5ua
— shweta singh kirti (@shwetasinghkirt) August 24, 2020
આ વીડિયો સુશાંત સિંહ રાજપૂતની બ્લોકબસ્ટર હિટ ફિલ્મ 'એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી'ના સ્ક્રીનિંગ પહેલાનો છે. વીડિયોમાં દુલ્હન બનેલી શ્વેતા સ્ટેજ પર તેના પતિ સાથે ઉભી છે અને સુશાંત સ્ટેજ પર તેની બહેન અને જીજાજી સાથે વાત કરતો જોવા મળી રહ્યો છે. સાથે જ સુશાંત સ્ટેજ પર જાય છે અને તેના જીજાજીને ફૂલોનો બુકે ભેટ કરે છે.
એટલું જ નહીં અભિનેતાની બહેને તેની સંગીત સંધ્યા સમયની તસવીર પણ શૅર કરી છે અને લખ્યું છે કે, કેટલાક ક્ષેત્રમાં અમે હંમેશા સાથે રહીશું... #GudiaGulshan. હું મારા સંગીતનો વીડિયો શોધીશ અને અપલોડ કરીશ.
શ્વેતા સિંહ રાજપૂત અવારનાવાર ભાઈ સુશાંત સાથેની તસવીરો શૅર કરતી હોય છે. તેની દરેક પોસ્ટ અભિનેતાના ફૅન્સને ભાવુક કરી દે છે.
આ પણ વાંચો: મૃત્યુ પછી પણ સુશાંત સિંહ રાજપૂતની એક્સ મેનેજર દિશા સલિયનનો ફોન એક્ટિવ હતો
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી.