સુરેખા સિકરીની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો
સુરેખા સિકરી
સુરેખા સિકરીના મૅનેજર વિવેક સિધવાણીએ જણાવ્યું છે કે તેમની તબિયત સુધારા પર છે અને તેઓ સેટ પર કામ કરવા માટે આતુર છે. તેમને ‘તમસ’, ‘મમ્મો’ અને ‘બધાઈ હો’ માટે નૅશનલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. સુરેખાને બ્રેઇન-સ્ટ્રૉક થતાં ૮ સપ્ટેમ્બરે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમને ૨૦૧૮માં પણ બ્રેઇન-સ્ટ્રૉક થયો હતો. ઝોયા અખ્તરની ઍન્થોલૉજી ‘ઘોસ્ટ સિરીઝ’માં તેઓ જોવા મળ્યાં હતાં. તેમની તબિયત વિશે માહિતી આપતાં સુરેખા સિકરીના મૅનેજર વિવેક સિધવાણીએ કહ્યું હતું કે ‘તેઓ તાજેતરમાં જ ઘરે પાછાં ફર્યાં છે. તેમની રિકવરીમાં હજી સમય લાગશે. તેમની મેડિકલ ટ્રીટમેન્ટની સાથે જ ફિઝિયોથેરપી પણ ચાલી રહી છે. સુરેખાજી સકારાત્મક વિચારાધારા ધરાવનારી સશક્ત મહિલા છે. તેઓ સેટ પર પાછાં ફરવા માટે પણ આતુર છે. જોકે એમાં સમય લાગશે.’