રજનીકાન્તને કઈ વાતનો છે વસવસો?
રજનીકાન્ત
રજનીકાન્તે તેમની પાર્ટી રજની મક્કલ મંડ્રમના જિલ્લા સેક્રેટરીની સાથે થયેલી બેઠક બાદ જણાવ્યું હતું કે તેઓ એક મુદ્દાને લઈને અસંતુષ્ટ છે. આ વાતનો ખુલાસો તેઓ થોડા સમય બાદ કરશે. મીટિંગ બાદ રિપોર્ટર્સ સાથે ચર્ચા કરતી વખતે રજનીકાન્તે જણાવ્યું હતું કે મીટિંગમાં અનેક સવાલો પૂછવામાં આવ્યા હતા, જેના જવાબ તેમણે આપ્યા હતા. સાથે જ અનેક બાબતો વિશે વિચારોની આપલે પણ થઈ હતી. તામિલનાડુ જમથુલ ઉલ્મા સબઈના નેતાઓ સાથેની બેઠકમાં રજનીકાન્તે તેમને હોમ મિનિસ્ટર અમિત શાહ સાથે મુલાકાત કરીને નાગરિકના કાયદા વિશે ચર્ચા કરવાની ભલામણ કરી હતી.
આ પણ વાંચો : પોતાની જાતને સ્ટાર તરીકે નથી જોતી સારા અલી ખાન
ADVERTISEMENT
દેશમાં હાલમાં સિટિઝનશિપ અમેન્ડમેન્ટ ઍક્ટ, નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર અને નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝન્સને લઈને ઘણો વિવાદ થયો હતો. જોકે આ કાયદાને રજનીકાન્તે સપોર્ટ કર્યો હતો.