Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ અસલી ડાકુઓને મળવા ઈચ્છે છે સોનચિડીયાની સ્ટારકાસ્ટ ?

કેમ અસલી ડાકુઓને મળવા ઈચ્છે છે સોનચિડીયાની સ્ટારકાસ્ટ ?

22 February, 2019 06:42 PM IST |

કેમ અસલી ડાકુઓને મળવા ઈચ્છે છે સોનચિડીયાની સ્ટારકાસ્ટ ?

ફિલ્મ સોનચિરીયાનો એક સીન

ફિલ્મ સોનચિરીયાનો એક સીન


સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડણેકર અને મનોજ બાજપાઈની અપકમિંગ ફિલ્મ સોનચિડીયા ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. જો કે ફિલ્મની રિલીઝ પહેલા સોનચિડીયાની સ્ટારકાસ્ટ ચંબલના અસલી ડાકુઓ સાથે મુલાકાત કરશે. ખૂંખાર ઈતિહાસ ધરાવતા ચંબલના લાખનસિંહ, સીમા પરિહાર, ખડકસિંહ અને ગાયા બાબા સહિતના ડાકુઓ સાથે સોનચિડીયાના સ્ટાર સુશાંતસિંહ રાજપૂત, ભૂમિ પેડણેકર અને મનોજ બાજપાઈ સહિતના સ્ટાર્સ મુલાકાત કરશે.

એક સમયે આ તમામ ડાકુઓના માથે સરકારે ઈનામ આપ્યું હતું. જો કે આખરે આમાંથી કેટલાક ડાકુઓએ મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યપ્રધાન અર્જુનસિંહ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. હવે જ્યારે ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ ફરી એકવાર ચંબલની મુલાકાત લેશે. સોનચિડીયાની ટીમ રિલીઝ પહેલા ચંબલના અસલી ડાકુઓ સાથે મુલાકાત કરશે. સુશાંત, ભૂમિ પેડણેકર, રણવીર શૌરી અને અભિષેક ચૌબે અસલી ડાકુઓ સાથે મુલાકાત કરશે.



ફિલ્મના શૂટિંગ પહેલા પણ કલાકારોએ ડાકુઓની જીવનશૈલી અને તે સમયના યુગનો અભ્યાસ કર્યો હતો. ત્યારે હવે ફિલ્મની સ્ટારકાસ્ટ ફરી એકવાર અસલી ડાકુઓ સાથે મુલાકાત કરીને તેમનું બદલાયેલું જીવન જાણવા ઈચ્છી રહી છે.


આ પણ વાંચોઃ 'સોનચિડીયા' માટે ભૂમિ પેડણેકર 45 દિવસ સુધી એક જ રૂમમાં હતી બંધ

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'સોનચિડીયા' ડાકુઓના વાસ્તવિક જીવન પર અને વાસ્તવિક જગ્યાઓ પર શૂટ થઈ છે. મધ્યપ્રદેશના ચંબલના કોતરોમાં શૂટ થયેલી સોનચિડીયામાં ડાકુયુગ ફરી જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. સોનચિડિયા આગામી મહિને એટલે કે 1 માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2019 06:42 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK