Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારા સાથેના બ્રેકઅપને લઈને ચૂપકી સાધી કાર્તિક આર્યને

સારા સાથેના બ્રેકઅપને લઈને ચૂપકી સાધી કાર્તિક આર્યને

31 December, 2019 12:18 PM IST | Mumbai

સારા સાથેના બ્રેકઅપને લઈને ચૂપકી સાધી કાર્તિક આર્યને

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન


કાર્તિક આર્યનને સારા અલી ખાન સાથેના બ્રેકઅપ વિશે પૂછતાં તેણે ચૂપકી સાધી છે. તેનું કહેવું છે કે તે ‘લવ આજ કલ 2’માં કામ કરવાનાં અનુભવને હંમેશાં માણતો રહેશે. સારા સાથે કાર્તિકનાં રિલેશનની ચર્ચા ખૂબ ચગી હતી. જોકે હવે તેમનાં બ્રેક-અપની પણ ચર્ચા ઉડી હતી. અનન્યા પાન્ડે સાથે કાર્તિકનાં રિલેશન હોવાની પણ શક્યતા છે.

sara-ali-khan



પોતાની પર્સનલ લાઇફને લઈને કાર્તિકે કહ્યું હતું કે ‘મેં કદી પણ મારી પર્સનલ લાઇફ વિશે ચર્ચા નથી કરી અને મને એ પસંદ પણ નથી. સૌથી અગત્યની વાત એ છે કે આ વાતમાં તમે અન્ય વ્યક્તિને પણ જોડી છે. આથી હું ચુપ રહું એ જ ઠીક છે. હું એટલુ જરૂર કહીશ કે મારી લાઇફનાં દરેક પાસાઓને જોતાં હું પર્સનલી અને પ્રોફેશનલી હૅપી ફેઝમાં છું.’


આ પણ વાંચો : રવીના ટંડન, ફારાહ ખાન અને ભારતી સિંહે ક્રિશ્ચયન સમુદાય પાસે માગી માફી

ઇમ્તિયાઝ અલીની ‘લવ આજ કલ 2’ ૨૦૨૦ની ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મને લઈને કાર્તિકે કહ્યું હતું કે ‘હું ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મને લઇને ખૂબ ઉત્સાહિત છું. એ ફિલ્મ વૅલેન્ટાઇન્સ ડે પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં કામ કરવાનો મને જે અનુભવ મળ્યો છે એને હું હંમેશાં માણતો રહીશ.’


Whatsapp-channel Whatsapp-channel

31 December, 2019 12:18 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK