Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઇના નેહવાલે મમ્મીએ બનાવેલા આલુ પરાઠાનો સ્વાદ પરિણીતી ચોપડાને ચખાડ્યો

સાઇના નેહવાલે મમ્મીએ બનાવેલા આલુ પરાઠાનો સ્વાદ પરિણીતી ચોપડાને ચખાડ્યો

21 December, 2019 12:20 PM IST | Hyderabad

સાઇના નેહવાલે મમ્મીએ બનાવેલા આલુ પરાઠાનો સ્વાદ પરિણીતી ચોપડાને ચખાડ્યો

સાઇના નેહવાલ અને પરિણીતી ચોપડા

સાઇના નેહવાલ અને પરિણીતી ચોપડા


બૅડ‍્મિન્ટન પ્લેયર સાઇના નેહવાલે તેની મમ્મીના હાથે બનેલા સ્પેશ્યલ આલુ પરાઠાનો સ્વાદ પરિણીતી ચોપડાને કરાવ્યો હતો. પરિણીતી હાલમાં જ સાઇનાને મળવા માટે ગઈ હતી. સાઇના નેહવાલની બાયોપિકમાં પરિણીતી કામ કરી રહી છે. ફિલ્મ ‘સાઇના’ને ભૂષણ કુમાર અને ક્રિશન કુમાર પ્રોડ્યુસ કરી રહ્યા છે. અમોલ ગુપ્તે દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહેલી આ ફિલ્મમાં પ્રાણ પૂરવા પરિણીતીએ બૅડ‍્મિન્ટન શીખવા માટે સખત ટ્રેઇનિંગ પણ લીધી છે.

સાઇના સાથેની મુલાકાત વિશે જણાવતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘સાઇનાને મળ્યા બાદ હું ખૂબ નર્વસ હતી કારણ કે તે દરેક વસ્તુને કેવી રીતે લેશે એની મને ખબર નથી. આશા રાખું છું કે મારા પ્રયાસથી તે ખુશ થાય. ખેલમાં કુશળ હોય અને રમતમાં અનેક સિદ્ધિઓ મેળવી હોય એવા વ્યક્તિનું પાત્ર ભજવવું હોય તો ઘણી મહેનત કરવી પડે છે.



અમારા માટે આ એક આશિર્વાદ સમાન જ છે કે અમારી ફિઝીકલ ક્વૉલિટી એક બીજાને મળતી આવે છે. અમે હવે એ ઐતિહાસિક મૅચીસનું શૂટિંગ શરૂ કરવાનાં છીએ. ત્યારે જ મારી ખરી સ્ટ્રગલ શરૂ થવાની છે. જોકે મારી લાઇફમાં હું આનાથી વધુ પ્રોત્સાહિત કદી પણ નહોતી થઈ.’


આ પણ વાંચો : કલાકાર રાજ જટાણિયાનો યંગ જનરેશન માટેનો શ્રેષ્ઠ ભવ્ય ઇન્ટરનૅશનલ પ્રોજેક્ટ

પરિણીતીને સિટિઝનશિપ કાયદા વિરુદ્ધ કરવામાં આવેલી ટ્વીટને કારણે બેટી બચાઓ બેટી પઢાઓ કૅમ્પેનમાંથી હટાવવામાં આવી?


પરિણીતી ચોપડાએ નાગરિકતા કાયદાનાં વિરોધમાં કરેલા ટ્વીટને કારણે હરિયાણાનાં ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ કૅમ્પેનનાં બ્રૅન્ડ ઍમ્બૅસૅડરનાં પદ પરથી હટાવવામાં આવી હોય એવી શક્યતા છે. જોકે આ સંદર્ભે હજી સુધી કોઈ ચોક્કસ માહિતી જાહેર કરવામાં નથી આવી. સિટિઝનશિપ કાયદાને લઈને દેશમાં ચાલી રહેલી હિંસા પર પોતાનાં વિચાર વ્યક્ત કરતાં ટ્‍‍વિટર પર પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે ‘નાગરિક જ્યારે પણ પોતાનાં મંતવ્યો રજુ કરે ત્યારે આવી જ સ્થિતિ ઉભી થવાની હોય તો સિટિઝનશિપ કાયદાની વાત છોડો આપણે એક એવુ બિલ પાસ કરવુ જોઈએ કે જેમાં આપણાં દેશને લોકશાહીવાળો દેશ કહેવાનું બંધ કરવુ જોઈએ. નિર્દોષ લોકો જો પોતાનાં વિચાર વ્યક્ત કરે અને તેમની સાથે હિંસા કરવામાં આવે તો એ ક્યાંનો ન્યાય? એ ખરેખર નિર્દયતા છે.’

Whatsapp-channel Whatsapp-channel

21 December, 2019 12:20 PM IST | Hyderabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK