રવીના ટંડને લોકોની લાગણી દુભાવવા બદલ માગી માફી
રવીના ટંડન
અમ્રિતસરમાં કરવામાં આવેલી ફરિયાદને પગલે રવીના ટંડને માફી માગી લીધી છે. લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવા માટે અમ્રિતસરમાં ફારાહ ખાન, રવીના અને કૉમેડીયન ભારતી સિંહ વિરુદ્ધ પોલીસ-ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તેમનાં પર આરોપ મુકવામાં આવ્યો હતો કે તેમણે ક્રિશ્ચન ધર્મ પર વાંધાજનક નિવેદન આપ્યુ છે.
આ પણ વાંચો : સરદાર ઉધમ સિંહનું શૂટિંગ પૂરુ કર્યું વિકી કૌશલે
ADVERTISEMENT
આ સંદર્ભે એક શોર્ટ વિડિયો ક્લિપ ટ્વિટર પર શૅર કરીને માફી માગતા રવીનાએ ટ્વીટ કર્યું હતું કે ‘પ્લીઝ આ લિંક જરૂરથી જુઓ. મેં એક પણ શબ્દ એવો નથી કહ્યો કે જેનાથી કોઈ પણ ધર્મનું અપમાન થાય. અમે ત્રણેએ ફારાહ ખાન, ભારતી સિંહ અને મેં કદી પણ કોઈની લાગણી નથી દુભાવી. જોકે અજાણતા એવુ થયુ હોય તો હું તે લોકોની માફી માગુ છું.’