આમિર ખાનની ‘PK’ની સીક્વલમાં રણબીર કપૂર સ્ટોરીને આગળ વધારશે એવી ચર્ચા ચાલી રહી છે. રાજકુમાર હીરાણીની ‘PK’માં આપણે જોયું હતું કે ફિલ્મના એન્ડમાં રણબીર કપૂર બીજા ગ્રહ પરથી આવે છે અને ફિલ્મ ત્યાં પૂરી થાય છે. ‘PK’માં આમિર ખાન સાથે અનુષ્કા શર્મા, સુશાંત સિંહ રાજપૂત અને બમન ઈરાનીએ પણ કામ કર્યું હતું. સંજય દત્તે આ ફિલ્મમાં નાનકડું પાત્ર ભજવ્યું હતું. જોકે આ ફિલ્મની સીક્વલમાં રણબીર કપૂર લીડ રોલમાં હશે એવી ફરી ચર્ચા ચાલી રહી છે. ‘સંજુ’ બાદ રાજકુમાર હીરાણી સાથે તેની આ બીજી ફિલ્મ હશે. પ્રોડ્યુસર વિધુ વિનોદ ચોપડા પણ યોગ્ય સમયે આ ફિલ્મ બનાવવાની રાહમાં છે. જોકે તેનું એમ પણ કહેવું છે કે લેખક અભિજાત જોશીએ હજી સુધી કોઈ સ્ટોરી નથી લખી. તે સ્ટોરી લખશે પછી જ સીક્વલ બનાવવામાં આવશે. વિધુ વિનોદ ચોપડાનું માનવું છે કે ફ્રૅન્ચાઇઝીથી અઢળક પૈસા કમાઈ શકાય છે, પરંતુ તેને તો પાવરફુલ સ્ટોરી જોઈએ છે. પૈસા રળવા એ તેનો ઉદ્દેશ નથી. જો પૈસા જ કમાવા હોત તો તેમણે અત્યાર સુધીમાં ‘મુન્નાભાઈ’ની ૬થી ૭ સિરીઝ અને ‘PK’ની બેથી ત્રણ ઇન્સ્ટૉલમેન્ટ્સ બનાવી લીધી હોત.
Shilpa Shettyના બિકિની વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હંગામો, જુઓ
28th February, 2021 17:20 ISTકંગના વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં સ્ટેટમેન્ટ રેકૉર્ડ કરાવ્યું હૃતિકે
28th February, 2021 15:44 ISTબૉલીવુડમાં કૉમ્પિટિશન ખૂબ હેલ્ધી હોય છે: જાહ્નવી કપૂર
28th February, 2021 15:42 ISTગંગુબાઈ કાઠિયાવાડીનું શૂટિંગ શરૂ કર્યું અજય દેવગને
28th February, 2021 15:40 IST