શું Bigg Boss 14માં જોવા મળશે 'રાધે માં'?
સુખવિંદર સિંહ ઉર્ફ 'રાધે માં'
'કર્લસ' ચેનલના સૌથી વિવાદિત અને લોકપ્રિય શો 'બિગ બૉસ'ની સિઝન 14 બહુ જલ્દી શરૂ થવાની છે. શોનો પ્રોમો પણ રિલીઝ થઈ ગયો છે. શોના હોસ્ટ સલમાન ખાને પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ સીઝનના ર્સ્પધકો લગભગ નક્કી થઈ ગયા છે. છતા હજી પણ નામોની ચર્ચા ચાલુ જ છે. હવે એવા સમાચાર આવ્યા છે કે, પોતાને 'દેવીનો અવતાર' કહેતી સુખવિંદર સિંહ ઉર્ફ 'રાધે માં'નો Bigg Boss 14ના મેકર્સે સંપર્ક કર્યો છે.
મળતી માહિતી પ્રમાણે, Bigg Boss 14ના મેકર્સે જ સુખવિંદર સિંહ ઉર્ફ 'રાધે માં'નો સંપર્ક કર્યો છે. જોકે, તે શોમાં ભાગ લેશે કે નહીં તેની સત્તાવાર જાહેરાત ન તો રાધે માંની ટીમે કરી છે, કે ન તો Bigg Boss 14ના મેકર્સે. પોતાને 'દેવીનો અવતાર' કહેતી સુખવિંદર સિંહ અનેક વિવાદોનો ભાગ રહી છે. કદાચ એટલે જ બિગ બૉસના મેકર્સે તેમનો સંપર્ક કર્યો હશે. આ પહેલાની કેટલીક સિઝનમાં પણ રાધે માંનો મેકર્સે સંપર્ક કર્યો હતો. પરંતુ આ સિઝનમાં ભાગ લેવા માટે તેઓ ઉત્સુક હોવાનું સુત્રો જણાવે છે. એટલું જ નહીં નિર્માતાઓ પણ રાધે માંને શોમાં લાવવા માટે બહુ જ ઉત્સુક છે.
ADVERTISEMENT
Radhey Maa approached for #BiggBoss14
— Khabri ? (@real_khabri_1) September 1, 2020
Do you want to see her inside the house? pic.twitter.com/BbHnieo4qO
તમને જણાવી દઈએ કે, રાધે માં પર એક પુરૂષને તેની પત્ની વિરુદ્ધ દહેજની પજવણી માટે ઉશ્કેરવાનો, લોકો સાથે અશ્લીલ વાતો કરવાનો આરોપ છે. તેમના પર જાતીય સતામણીનો પણ આરોપ છે. રાધે માં વિચિત્ર રીતથી લોકોના દુ:ખ દુર કરવા માટે પણ જાણીતા છે. તેઓ ભક્તોને લાલ ગુલાબ આપીને ટઆઈ લવ યુ ફ્રોમ બોટમ ઓફ માય હાર્ટ' તેમ કહે છે. સાથે જ તેઓ તેમના અતરંગી પહેરવેશને લીધે પણ હંમેશા ચર્ચામાં હોય છે.