Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > પ્રેમબંધનની જાનકી એટલે રામાયણનાં સીતામૈયા

પ્રેમબંધનની જાનકી એટલે રામાયણનાં સીતામૈયા

01 December, 2020 07:22 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રેમબંધનની જાનકી એટલે રામાયણનાં સીતામૈયા

છવિ પાન્ડે

છવિ પાન્ડે


દંગલ ચૅનલના શો ‘પ્રેમબંધન’માં છવિ પાન્ડે જે કૅરૅક્ટર કરે છે એ જાનકી શ્રીવાસ્તવનું કૅરૅક્ટર અન્ય કોઈ જગ્યાએથી નહીં પણ રામાયણનાં સીતાજી પરથી પ્રેરિત છે. જાનકીને પણ એવી જ વિટંબણાઓ છે જેવી સીતામાની લાઇફમાં આવી હતી. છવિએ કહ્યું હતું, ‘સીતાનું બીજું નામ જ જાનકી છે. જાનકી પર આખી ફૅમિલીની જવાબદારી છે અને એક તબક્કે એવી સિચુએશન આવીને ઊભી રહી જાય છે કે સીતામાની જેમ જ જાનકીએ પણ તેના ચરિત્ર પર આક્ષેપો સહન કરવાના આવે છે અને એ આક્ષેપોમાંથી તેણે પાર નીકળવાનું છે.’

‘પ્રેમબંધન’ એકતા કપૂરનો શો છે એટલે નૅચરલી એ શોમાં અનેક પ્રકારના ઉતારચડાવ છે. છવિએ કહ્યું હતું, ‘મને સૌથી મોટી ખાસિયત આ શોની એ દેખાય છે કે આ એક સરળ અને સીધીસાદી લવ સ્ટોરી નથી, પ્રેમ પણ છે અને એમાં નફરત પણ છે. નફરત વચ્ચે પણ પ્રેમભાવ અકબંધ રહે છે. એવી જ રીતે જેવી રીતે રામાયણમાં બનતું તમને અનેક જગ્યાએ જોવા મળે છે.’


Whatsapp-channel Whatsapp-channel

01 December, 2020 07:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK