Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ‘બાળકો મારાથી ડરે છે, તેઓ ‘બાલવીર’ સાથે ફોટો લેશે, મારી સાથે નહીં

‘બાળકો મારાથી ડરે છે, તેઓ ‘બાલવીર’ સાથે ફોટો લેશે, મારી સાથે નહીં

17 October, 2019 01:39 PM IST | અમદાવાદ

‘બાળકો મારાથી ડરે છે, તેઓ ‘બાલવીર’ સાથે ફોટો લેશે, મારી સાથે નહીં

પવિત્રા પુનિયા

પવિત્રા પુનિયા


સ્ટાર પ્લસ પર આવતી સિરિયલ ‘યે હૈં મોહબ્બતેં’માં નેગેટિવ પાત્ર ભજવનારી પવિત્રા પુનિયાને એ અરસામાં ધમકીભર્યા મેસેજિસ આવતા. તેનું પાત્ર અત્યંત કપટી અને ચાલાક હતું જેથી લોકો તેના પર ખૂબ ગુસ્સે હતા. છેલ્લે તો તેને મેસેજ આવતા કે તારું ઍડ્રેસ અમને ખબર છે. તને તારા જે સુંદર ચહેરા પર બહુ અભિમાન છે એ ચહેરો સલામત રાખવો હોય તો શોમાંથી બહાર નીકળી જજે. આવા સમયે અભિનેત્રી પવિત્રા પુનિયાએ શો છોડી દેવાનું લગભગ નક્કી કરી લીધું હતું. તેણે બાકીના લોકો સાથે વાત કરીને નક્કી કર્યું કે હવે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવી પડશે. આટલું જણાવીને પવિત્રા કહે છે, ‘પછી બધું થાળે પડ્યું અને મારું પાત્ર જેલમાં ગયું!’

આ પણ વાંચો : હંગામા પ્લેની રાત્રિ કે યાત્રી વેબ-સિરીઝની કાસ્ટ ફાઇનલ



ઉલ્લેખનીય છે કે પવિત્રા પુનિયાએ મોટા ભાગના એવા શો કર્યા જેમાં તેનું પાત્ર નેગેટિવ હોય. તેણે કહ્યું હતું કે ‘મારી દસ વર્ષની કારકિર્દીમાં ચાર શો તો એવા છે જેમાં હું બાળકોને ડરાવું છું, ધમકાવું છું, કિડનૅપ કરું છું! આ કારણે ખરેખર-જાહેરમાં બાળકો મારાથી દૂર રહે છે. તેઓ ‘બાલવીર’ સાથે ફોટો પડાવશે પણ મારી સાથે નહીં પડાવે! હું નજીક જઈશ તો મમ્મીની પાછળ છુપાઈ જશે અને રડવા માંડશે.’


Whatsapp-channel Whatsapp-channel

17 October, 2019 01:39 PM IST | અમદાવાદ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK