હંગામા પ્લેની રાત્રિ કે યાત્રી વેબ-સિરીઝની કાસ્ટ ફાઇનલ
શાઇની દોશી
અમિત સયાલ અને અમૃતા ખાનવિલકરની સાઇકોલૉજિકલ ક્રાઇમ થ્રિલર ‘ડૅમેજ્ડ’ બાદ વિડિયો ઑન ડિમાન્ડ પ્લૅટફૉર્મ ‘હંગામા પ્લે’ માટે નવી સિરીઝની તૈયારી શરૂ થઈ ગઈ છે.
‘રાત્રિ કે યાત્રી’ નામની આ વેબ-સિરીઝમાં પરાગ ત્યાગી, શાઇની દોશી અને રેની ધ્યાનીને કાસ્ટ કરાયાં છે. પરાગ ત્યાગી ઝી ટીવીની લોકપ્રિય સિરિયલ ‘પવિત્ર રિશ્તા’ની અર્ચના દેશમુખ (અંકિતા લોખંડે)ના ભાઈ વિનોદના રોલમાં હતો. ત્યાર બાદ તે ‘જોધા અકબર’, ‘બ્રહ્મક્ષત્રિય’, ‘કાલા ટિકા’ સહિતની સિરિયલ તથા ‘અ વેનસ્ડે’ અને ‘સરકાર 3’ જેવી ફિલ્મોમાં પણ દેખાયો. અનિલ વી. કુમાર પ્રોડક્શન્સ હેઠળ બનનારી ‘રાત્રિ કે યાત્રી’ વેબ-સિરીઝમાં લીડ ફીમેલ કૅરૅક્ટર તરીકે આવનારી શાઇની દોશી કલર્સ ટીવી પર ચાલી રહેલી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં રાધાનું પાત્ર ભજવે છે.