Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કરણવીર બોહરાએ એરલાઈન વિરુદ્ધ કરી ટ્વીટ, યુઝર્સને આવ્યો ગુસ્સો...

કરણવીર બોહરાએ એરલાઈન વિરુદ્ધ કરી ટ્વીટ, યુઝર્સને આવ્યો ગુસ્સો...

17 October, 2020 04:52 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કરણવીર બોહરાએ એરલાઈન વિરુદ્ધ કરી ટ્વીટ, યુઝર્સને આવ્યો ગુસ્સો...

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ટીવી અભિનેતા કરણવીર બોહરા (Karanvir Bohra)એ પોતાના કુટુંબ સાથે મુંબઈની બહાર ફરવા માટે નીકળ્યા પરંતુ એરપોર્ટમાં કંઈક એવુ થયુ કે તેમને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો.




આ ગુસ્સો કરણવીરે સોશ્યલ મીડિયામાં વ્યક્ત કર્યો હતો. કરણવીરના મનમાં એમ હશે કે યુઝર્સ તેની વાતો સમજશે ઉલટુ યુઝર્સ ગુસ્સે ભરાયા અને તેને જ પાઠ ભણાવવા લાગ્યા હતા. કરણવીરે પોસ્ટ શૅર કરતા કહ્યું કે, તેના લગેજનું વજન થોડુક જ વધારે હતું, પરંતુ તેણે ચાર્જિસ ચૂકવવા પડ્યા હતા.


કરણવીરે એક ફોટો શૅર કરતા ટ્વીટ કર્યું કે, આ ખૂબ જ દુઃખની વાત છે. મારી બે બેગમાં ચાર કિલો વજન વધારે છે અને એરલાઈન્સ કોઈ છૂટ આપી રહી નથી. મારે એક્સ્ટ્રા ચાર્જિસ ચૂકવવા પડ્યા છે. અહીં વાત પૈસાની નહીં પણ બેકાર કસ્ટમર સર્વિસની છે.

કરણવીરની આ ટ્વીટ ઉપર યુઝર્સ તૂટી પડ્યા હતા. યુઝર્સનું કહેવુ હતું કે જે નિયમ હોય એનું તો પાલન કરવાનું જ હોય, નિયમ દરેક માટે સરખા હોય છે.

એરલાઈન્સે પણ ટ્વીટ કર્યું કે, મિસ્ટર બોહરા અમે તમારી સમસ્યા સમજી શકીએ છીએ. પોલીસી મુજબ જો લગેજનું વજન વધારે હોય તો દરેક પ્રવાસીએ વધુ ચાર્જ ચૂકવવો પડે છે. તમારા ફીડબેકની નોંધ લેવામાં આવી છે.

કરણવીર બોહરા હાલ તેમના કુટુંબ સાથે દેહરાદૂનમાં એન્જોઈ કરી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2020 04:52 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK