કંગના રનોટે સંજય રાઉત પર લગાડયો ગંભીર આરોપ, ટ્વીટ કરીને બોલી આ....
કંગના રનોટ, સંજય રાઉત
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મોતના મામલે ચાલી રહેલા નિવેદનોના સીલસીલા વચ્ચે હવે બૉલીવુડ અભિનેત્રી કંગના રાણાવત (Kangana Ranaut) અને શિવસેના પ્રવક્તા સંજય રાઉત (Sanjay Raut) આમને સામને આવી ગયા છે. અભિનેત્રીએ મુંબઈ પોલીસ અંગે આપેલા નિવેદન બાદ સંજય રાઉતે કહ્યું હતું કે, જો તે મુંબઈમાં ડરી ગઈ છે તો તેણે મુંબઈમાં પાછા ન આવવું જોઈએ. જેનો વળતો જવાબ કંગનાએ આપ્યો છે અને કહ્યું છે કે, શિવસેનાના નેતાએ મને મુંબઈ પાછી ન આવવાની ધમકી આપી હતી.
કંગના રનોટે ટ્વીટ કરીને કહ્યું છે કે, શિવસેનાના નેતાએ મને ખુલ્લેઆમ ધમકી આપી છે અને કહ્યું છે કે હું મુંબઈ પાછી ન આવું. પહેલાં મુંબઈની શેરીઓમાં આઝાદીના નારા લગાવ્યા અને હવે ખુલ્લેઆમ ધમકીઓ મળી રહી છે. મુંબઈ શું પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ફેરવાઈ ગયું છે કે?
ADVERTISEMENT
Sanjay Raut Shiv Sena leader has given me an open threat and asked me not to come back to Mumbai, after Aazadi graffitis in Mumbai streets and now open threats, why Mumbai is feeling like Pakistan occupied Kashmir? https://t.co/5V1VQLSxh1
— Kangana Ranaut (@KanganaTeam) September 3, 2020
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કંગના રનોટે કહ્યું હતું કે, ફિલ્મી માફિયાઓ કરતા મને મુંબઈ પોલીસનો વધારે ડર લાગે છે અને એ પછી રાઉત મેદાનમાં આવ્યા હતા અને કંગનાને મુંબઈ પાછા નહીં આવવાની સલાહ આપી દીધી હતી. રાઉતે એ પછી કહ્યું હતું કે, જે શહેરમાં કંગના રહે છે તે શહેરની પોલીસની ટીકા કરવાની હરકત ખરેખર શરમજનક કહેવાય તેવી છે.આ મુંબઈ પોલીસનુ અપમાન છે.