Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અરવિંદ ત્રિવેદી કેવી રીતે રામાયણના રાવણ બન્યા હતા?

અરવિંદ ત્રિવેદી કેવી રીતે રામાયણના રાવણ બન્યા હતા?

01 July, 2020 07:43 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

અરવિંદ ત્રિવેદી કેવી રીતે રામાયણના રાવણ બન્યા હતા?

અરવિંદ ત્રિવેદી કેવી રીતે રામાયણના રાવણ બન્યા હતા?


એંસીના દસકામાં દેશભરમાં કરફ્યુનું વાતાવરણ ઊભું કરી દેનારી ‘રામાયણ’ના લંકેશનું કૅરૅક્ટર સૌથી પહેલું ફાઇનલ થયું હતું એનો ફોડ સિરિયલના રાઇટર-ડિરેક્ટર પ્રેમ સાગરે હમણાં છેક પાડ્યો. પ્રેમ સાગરે કહ્યું કે ‘અરવિંદ ત્રિવેદી જ રાવણ બનશે એવું મારા મારા ફાધર રામાનંદ સાગરે સૌથી પહેલાં નક્કી કરી લીધું હતું અને તેમને ફોન પર જાણ પણ કરી દીધી હતી.’

બન્યું એમાં એવું હતું કે સાગર-ફૅમિલી તો માત્ર ઉપેન્દ્ર ત્રિવેદીને જ ઓળખતું. એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરનારા રામાનંદ સાગરે એ ફિલ્મમાં ઉપેન્દ્ર ત્રિવેદીને લીડ હીરો તરીકે લીધા ત્યારે નાના ભાઈને મળવા અરવિંદ ત્રિવેદી ફ્લોર પર આવ્યા અને એ પછી તેમને અને રામાનંદ સાગરને દોસ્તી થઈ ગઈ. આ દોસ્તીને લીધે જ અરવિંદ ત્રિવેદીને પહેલી હિન્દી ફિલ્મ ‘હમ તેરે આશિક હૈં’ મળી. હેમા માલિની એ ફિલ્મની લીડ ઍક્ટ્રેસ. પ્રેમ સાગરે આ ફિલ્મ ડિરેક્ટ કરી હતી. સેટ પર અરવિંદ ત્રિવેદી જે રીતે શિવસ્તુતિ કરતા એ જોઈને રામાનંદ સાગર ભારોભાર પ્રભાવિત થયા હતાં, તો અરવિંદભાઈની પર્સનાલિટીથી પણ તેઓ જબરદસ્ત ઇમ્પ્રેસ. એ પછી વાત આવી ‘રામાયણ’ની ત્યારે રામાનંદ સાગરે પહેલે જ ઝાટકે કહી દીધું કે ‘લંકેશ કૌન બનેગા યે તય હૈ.’



અરવિંદ ત્રિવેદી ‘રામાયણ’માં માત્ર રાવણ નહોતા બન્યા, પણ તેઓ પોતાના ડાયલૉગ્સ પણ જાતે લખતા એવું પણ પ્રેમ સાગરે ‘મિડ-ડે’ને કહ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

01 July, 2020 07:43 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK