ગુજરાતી સિનેમા જગતના આ દિગ્ગજ અભિનેતાનું નિધન
તસવીર સૌજન્યઃ યુટ્યુબ
ગુજરાતી ફિલ્મ સિનેમા જગત અને દુરદર્શનમાં આવતી ફેમસ સિરીયલ ‘એક ડાળના પંખી’ લીડ રોલ કરનારા હસમુખ ભાવસારનું નિધન થયું છે.
હસમુખ ભાવસાર ગુજરાતી નાટકોમાં આપણને અલગ અલગ પાત્રોમાં જોવા મળ્યા છે. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમણે ગ્રાન્ડ હળી, મોનાલીસા, બાપ વેચવાનો છે, દિલ દોસ્તી લવ ઈન લાઈફ, સંબંધોની સોનોગ્રાફી, આ તો પ્રેમ છે વગેરેમાં કામ કર્યું છે.
ADVERTISEMENT
એક ડાળના પંખી સિરીયલથી હસમુખ ભાવસાર લાઈમ લાઈટમાં આવ્યા હતા. તેમના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરીવળ્યું છે.