રિતેશ અને જેનિલિયાએ કર્યું મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે 25 લાખનું દાન
રિતેશ અને જેનિલિયાએ કર્યું મહારાષ્ટ્રના પૂરગ્રસ્તો માટે 25 લાખનું દાન
મહારાષ્ટ્રનાં પુર પીડિતો માટે રિતેશ દેશમુખ અને જેનિલિયા દેશમુખે પચીસ લાખ રૂપિયાનું દાન આપ્યું છે. મહારાષ્ટ્રનાં સાંગલી, કોલ્હાપુર અને સાતારા જીલ્લામાં આવેલા વરસાદને કારણ ભારે તારાજી ફેલાઈ છે. ૩.૭૮ લાખ લોકોનું રાહત કૅમ્પમાં સ્થળાંતર કરવામાં આવ્યુ છે. રિતેશ અને જેનિલિયાએ રાહત રાશીનો ચેક મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને સોંપ્યો છે.
આ પણ વાંચો : શ્રીદેવીના જન્મદિવસે જાહ્નવી કપૂરે શૅર કરી પોસ્ટ, કહ્યું I love You
ADVERTISEMENT
આ ફોટો ટ્વિટર પર શૅર કરીને દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કર્યું હતું કે ‘પચ્ચીસ લાખ રૂપિયાનું દાન સીએમ રિલીફ ફન્ડ અને મહારાષ્ટ્ર ફ્લડ્સમાં આપવા માટે રિતેશ અને જેનિલિયા દેશમુખનો આભાર.’