Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા મનોબળને વધારવા માટે હું મારા પેરન્ટ્સની આભારી છું : અંકિતા લોખંડે

મારા મનોબળને વધારવા માટે હું મારા પેરન્ટ્સની આભારી છું : અંકિતા લોખંડે

23 January, 2019 11:16 AM IST |

મારા મનોબળને વધારવા માટે હું મારા પેરન્ટ્સની આભારી છું : અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે


કંગના રનોટની ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ દ્વારા અંકિતા બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તે હાલમાં ફિલ્મના પ્રમોશન માટે ઈન્દોર પહોંચી હતી, જ્યાં તેની સાથે તેના પેરન્ટ્સ પણ હાજર હતા. પ્રેસ-કૉન્ફરન્સમાં માતા-પિતાને પોતાના પિલર્સ જણાવતાં અંકિતાએ કહ્યું હતું કે ‘મારી કરીઅરમાં મને જે પ્રશંસા અને સફળતા મળી છે એના માટે હું મારા પેરન્ટ્સની આભારી છું. મારી કરીઅર દરમ્યાન આવેલા તમામ ઉતાર-ચડાવમાં તેઓ મારી પડખે અડીખમ ઊભાં રહ્યાં હતાં. તેમણે મને શીખવ્યું છે કે હંમેશાં સત્યની સાથે જ ઊભા રહેવું અને કોઈને પણ તમને નીચા દેખાડવાની તક ન આપવી. મારા પેરન્ટ્સની આંખમાં મારા પ્રતિ જે ગર્વ હું જોઈ રહી છું એની મને ખૂબ જ ખુશી છે.

આ પણ વાંચો : '83 સાથે, રણવીર સિંહ પોતાની પહેલી ત્રિભાષી ફિલ્મ માટે છે તૈયાર!'



હું જ્યારે પણ હતાશ થતી ત્યારે તેઓ મારું મનોબળ વધારતાં હતાં. મેં ખૂબ જ નાની વયે જ્યારે ટીવીમાં કામ કરવાની શરૂઆત કરી હતી ત્યારે તેઓ ખૂબ જ ખુશ થયાં હતાં. હું હવે બૉલીવુડમાં પદાર્પણ કરી રહી છું ત્યારે તેમને જે ખુશી છે એવી ખુશી મેં તેમના ચહેરા પર આજ સુધી નથી જોઈ.’


Whatsapp-channel Whatsapp-channel

23 January, 2019 11:16 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK