Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > AB આણિ CDને કોરોના વાઇરસને કારણે થોડા સમય બાદ કરવામાં આવશે રી-રિલીઝ

AB આણિ CDને કોરોના વાઇરસને કારણે થોડા સમય બાદ કરવામાં આવશે રી-રિલીઝ

17 March, 2020 04:45 PM IST | Mumbai
Agencies

AB આણિ CDને કોરોના વાઇરસને કારણે થોડા સમય બાદ કરવામાં આવશે રી-રિલીઝ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


કોરોના વાઇરસને કારણે અમિતાભ બચ્ચનની ‘AB આણિ CD’ને સ્થિતિ થાળે પડ્યા બાદ ફરીથી રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં તેમની સાથે વિક્રમ ગોખલે પણ જોવા મળી રહ્યા છે. કોરોનાને કારણે અનેક શહેરોમાં થિયેટર અને મૉલ બંધ રાખવામાં આવ્યાં છે. લોકોને ભીડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. એથી આ ફિલ્મને હવે ફરીથી રિલીઝ કરવામાં આવશે.

ab-ani-cd



એ વિશે વધુ માહિતી આપતાં ફિલ્મના પ્રોડ્યુસર અક્ષય બરદાપુરકરે કહ્યું હતું કે ‘કોરોના વાઇરસના ફેલાવાને કારણે લોકોની સલામતીને મહત્ત્વ આપતાં અમે અમારી ફિલ્મ ‘AB આણિ CD’ને ફરીથી રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. ફિલ્મને લઈને લોકોનો રિસ્પૉન્સ અવર્ણનીય રહ્યો છે. લોકો પણ આ ફિલ્મની ઉત્સુકતાથી રાહ જોતા હતા. આશા રાખું છું કે સ્થિતિ કાબૂમાં આવે ત્યાં સુધી લોકો સલામત રહે અને સાવચેતી લે. સૌકોઈએ સાથે મળીને આ દિશામાં કામ કરવું જોઈએ. માત્ર એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્ર જ નહીં, અન્ય ક્ષેત્રોના લોકોએ પણ ઘરમાં રહીને સાવચેતી રાખવી જોઈએ જેથી કોરોના વાઇરસનો ફેલાવો ન થાય અને એનો ખાતમો કરવા માટે આપણે સાથે મળીને સામનો કરી શકીએ.’


Whatsapp-channel Whatsapp-channel

17 March, 2020 04:45 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK