Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાણો શું છે આલિયા ભટ્ટની ફિટનેસનો રાઝ

જાણો શું છે આલિયા ભટ્ટની ફિટનેસનો રાઝ

25 April, 2019 05:09 PM IST |

જાણો શું છે આલિયા ભટ્ટની ફિટનેસનો રાઝ

આલિયા ભટ્ટ સાથે આકાંશા રંજન કપૂર

આલિયા ભટ્ટ સાથે આકાંશા રંજન કપૂર


એક્ટિંગ કે જિમ કરતાં રહેવું જોઇએ, આલિયા ભટ્ટને ખબર છે કે કેવી રીતે તેણે પોતાના બેસ્ટ શોટ્સ આપતાં રહેવાના છે. પોતાની ફિટનેસ માટે બી ટાઉનમાં જાણીતી અભિનેત્રી આલિયા ભટ્ટે બુધવારે પોતાના એરિયલ યોગા કરતાં ફોટા શેર કર્યા હતા. જેમાં તે પોતાની ફ્રેન્ડ આકાંશા રંજન કપૂર સાથે તે એરિયલ યોગાની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે.

 
 
 
View this post on Instagram

Try try untill you fly ??‍♂

A post shared by Alia ? (@aliaabhatt) onApr 24, 2019 at 3:11am PDT




તસવીરમાં આલિયા ભટ્ટ અને આકાંશા એરિયલ યોગા કરતા કાપડની રસ્સી પર લટકતી પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. બન્ને સવારે પોતાની એરિયલ યોગાની પ્રેક્ટિસ કરતી જોવા મળે છે. કલંકની અભિનેત્રીએ આ તસવીર શેર કરતી વખતે ફોટો કૅપ્શન આપતાં લખ્યું છે કે "ટ્રાય ટ્રાય અનટીલ યુ ફ્લાય" Try try untill you fly ??‍♂

 
 
 
View this post on Instagram

Flying divas @aliaabhatt @akansharanjankapoor today @thedivayoga doin some #aerialyoga ??? @sarvesh_shashi

A post shared by Malaika Arora (@malaikaaroraofficial) onApr 24, 2019 at 5:17am PDT


તેનું વર્કઆઉટ તેની જિમ પાર્ટનર મલાઇકા અરોરાને પણ ઇમ્પ્રેસ કરે તેવો છે. છૈયા છૈયા ગર્લ મલાઇકા અરોરાએ પણ આલિયા ભટ્ટની આ તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શેર કરી હતી. સાથે તેણે લખ્યું હતું, "ફ્લાઇંગ દિવાઝ આલિયા ભટ્ટ, આકાંશા રંજન કપૂર ટુડે ડુઇંગ સમ એરિયલ યોગા."

આ પણ વાંચો : કૈકશાન પટેલ: જેણે બૉલીવુડમાં ગાયા છે આઈટમ સૉન્ગ

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટની ‘કલંક’એ ધારી સફળતા નથી મેળવી એ માટે આલિયાનું માનવું છે કે લોકોનો નિર્ણય જ હંમેશાં મહત્વ ધરાવે છે. ફિલ્મ પર વિશ્લેષણ કરશે કે નહીં એનો જવાબ આપતાં આલિયાએ કહ્યું હતું કે ‘હું મારી ફિલ્મનું વિશ્લેષણ નહીં કરીશ, કારણ કે મને એની જરૂર નથી લાગતી. ફિલ્મ માટે દર્શકોનો નિર્ણય જ સર્વોપરી છે. જો લોકોને ફિલ્મ ન ગમી હોય તો એ ફિલ્મ બૉક્સ-ઑફિસ પર નહીં ચાલે. એથી આપણે એ વાતને સ્વીકારવી જ રહી. આપણે આગળ વધીને, વધુ મહેનત કરીને એ વાતની ખાતરી કરવી જોઈએ કે હવે જ્યારે પણ આવીશું તો લોકોની આશા પર ખરા ઊતરીશું.’

Whatsapp-channel Whatsapp-channel

25 April, 2019 05:09 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK