રણબીર સાથે ફ્રાન્સમાં લગ્નની વાતને ઊડતી ખબર ગણાવી આલિયા ભટ્ટે
રણબીર કપૂર સાથે આલિયા ભટ્ટ
રણબીર કપૂર સાથેનાં લગ્નને લઈને ચાલી રહેલી અફવાને આલિયા ભટ્ટે ઉડતી ખબર જણાવી છે. તેમનાં લગ્નનું ખોટું કાર્ડ પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયુ હતું. આ તમામ ચર્ચા બાદ હવે આ બન્ને ફ્રાન્સમાં ૨૦૨૦ની જાન્યુઆરીમાં વિવાહનાં બંધનમાં બંધાઇ જશે એવી ચર્ચા છે. આ બન્ને છાશવારે એક બીજા સાથે ક્વૉલિટી ટાઈમ પસાર કરતા જોવા મળે છે. કપૂર અને ભટ્ટ ફૅમિલી તેમનાં સંબંધોને પણ સ્વીકારી ચુક્યુ છે. બન્ને જલદી લગ્ન કરીને ઠરીઠામ થાય એવી ઇચ્છા આ બન્નેનાં પરિવારને છે. આલિયાને ફરી રણબીર સાથે મૅરેજને લઈને સવાલ પૂછવામાં આવ્યો હતો. એનો જવાબ આપવાનું ટાળતા છેવટે આલિયાએ કહ્યું હતું કે ઉડતી ઉડતી ખબર હૈ, ઉડતી હી રહેગી.