ઇતિહાસના વીરોને જાણવા માટે લોકો ઉત્સુક છે : અજય
અજય દેવગન
અજય દેવગનનું માનવું છે કે લોકો ઇતિહાસના વીરોની ગાથા સાંભળવા અને જોવા માટે ઉત્સુક હોય છે. અજય દેવગન ‘તાનાજી : ધ અનસંગ વૉરિયર’માં સૂબેદાર તાનાજી માલુસરેની ભૂમિકામાં જોવા મળશે. ઐતિહાસિક પાત્રો વિશે અજય દેવગને કહ્યું હતુ કે ‘અમે તાનાજી માલુસરે વિશે સ્કૂલમાં સાંભYયું હતું. હવે સમય બદલાયો છે. લોકો અલગ-અલગ સ્ટોરી અને ઇતિહાસમાં પ્રખ્યાત રહેલા વીરો વિશે શોધખોળ કરે છે. યુવા પેઢી પણ હવે એ વાતથી અવગત થઈ ગઈ છે કે ચાર-પાંચ પ્રસિદ્ધ વ્યક્તિઓને બાકાત કરતાં એવાં કેટલાંય ઐતિહાસિક પાત્રો છે જેમના પર ફિલ્મો બનાવી શકાય છે.’
આ પણ વાંચો : દરેક વસ્તુ પર વધારે પડતો વિચાર કરવાનું બંધ કરવું જોઈએ : સુશાંત
ADVERTISEMENT
ફિલ્મ સંદર્ભે અજય દેવગને કહ્યું હતું કે આ વર્ષે મે મહિનામાં અમે ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લઈશું. ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે.