'દિલ બેચારા' જોઈને ક્રિતી સૅનને કહ્યું, મારું હૃદય તુટી ગયું
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' જોઈને 'રાબતા' ફિલ્મની કૉ-સ્ટાર અભિનેત્રી ક્રિતી સૅનન (Kriti Sanon)એ ઈમોશનલ નોટ લખી છે. અભિનેત્રીએ સોશ્યલ મીડિયા પર ફિલ્મનો ડાયલૉગ પણ લખ્યો છે. ફિલ્મ જોઈને ક્રિતીએ કહ્યું હતું કે, મારું હૃદય તુટી ગયું.
ક્રિતી સૅનને વિડિયો શૅર કરવાની સાથે લખ્યું છે કે, ઈટ્સ નૉટ સૅરી (આ યોગ્ય નથી) અને હું આ વાત માનતી નથી. ફિલ્મે મારું દિલ વધુ એકવાર તોડયું છે. મૈનીમાં મેં ફરી તને જીવતો જોયો છે. મને બહુ સારી રીતે ખબર છે કે, આ ભૂમિકામાં ક્યાં ક્યાં તે પોતાની વાત પણ કહી છે. અને હંમેશાની જેમ સૌથી ઉત્તમ ક્ષણ એ છે કે જ્યાં તુ ચુપ રહે છે. એ ક્ષણ જ્યારે તું કહી ન કહ્યાં વગર પણ ઘણું બધું કહી જાય છે.
ADVERTISEMENT
એટલું જ નહીં અભિનેત્રીએ મુકેશ છાબરા અને સંજના સાંધીને ડેબ્યૂ ફિલ્મ માટે શુભેચ્છા આપી છે. સાથે જ કહ્યું છે કે, મુકેશ છાબરા અમને બધાને ખબર છે કે આ ફિલ્મ અમે વિચાર્યું હતું તેના કરતા પણ તારા માટે બહુ મહત્વ રાખે છે. તે તારી પ્રથમ ફિલ્મમાં જ અમારી બધી ભાવનાઓને જગાડી છે. તને અને સંજનાને આગળના સફર માટે શુભેચ્છાઓ.