આદિત્ય નારાયણે ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથેની રિલેશનશિપ કરી ઓફિશ્યલ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
ઉદિત નારાયણ (Udit Narayan)ના દીકરા અને સિંગર આદિત્ય નારાયણ (Aditya Narayan)એ તેનાં લગ્નની જાહેરાત કરી છે. આદિત્ય નારાયણ અભિનેત્રી શ્વેતા અગ્રવાલ (Shweta Agarwal) સાથે ડિસેમ્બરમાં લગ્ન કરશે. આ વાત હવે તેણે ઓફિશ્યલી જણાવી છે. તેણે ગર્લફ્રેન્ડ શ્વેતા અગ્રવાલ સાથે એક ફોટો શેર કરીને જણાવ્યું કે તે આવતા મહિને લગ્ન કરવાના છે.
તાજેતરમાં આદિત્ય નારાયણે સોશ્યલ મીડિયા પર કરેલા પોસ્ટમાં લખ્યું હતું કે, 'અમે લગ્ન કરી રહ્યાં છીએ. હું સૌથી લકી છું કે મને શ્વેતા મળી. મારી સોલમેટ, 11 વર્ષ પહેલાં અને હવે ફાઇનલી ડિસેમ્બરમાં લગ્ન કરી રહ્યા છીએ. અમે બંને ઘણા પ્રાઇવેટ લોકો છીએ અને માનીએ છીએ કે અંગત જીવનને અંગત રાખવું સૌથી સારું છે. લગ્નની તૈયારી માટે સોશ્યલ મીડિયામાંથી બ્રેક લઈ રહ્યો છું. તમને ડિસેમ્બરમાં મળીશ.' આ સાથે જ તેણે તેની ફિલ્મના સોન્ગની લાઈન પણ લખી છે, ‘કભી ના કભી તો મિલોગે કહીં પે હમકો યકીન હૈ’.
ADVERTISEMENT
આદિત્ય નારાયણ અને શ્વેતા અગ્રવાલની મુલાકાત વર્ષ 2010માં પહેલીવાર ફિલ્મ 'શાપિત'ના સેટ પર થઈ હતી. આદિત્ય અને શ્વેતા છેલ્લા 10 વર્ષથી એકબીજાને ઓળખે છે.
શ્વેતા અગ્રવાલની વાત કરીએ તો તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં પ્રભાસ, કિચ્ચા સુદીપ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું છે. શ્વેતા ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલમાં કામ કરી ચૂકી છે. તેણે 'શગુન', 'દેખો મગર પ્યાર સે' અને 'બાબુલ કી દુઆએં લેતી જા'માં કામ કર્યું છે. શ્વેતાએ પ્રભાસ અને કિચ્ચા સુદીપ જેવા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું છે. જ્યારે આદિત્ય નારાયણ એક્ટર, સિંગરની સાથે ટીવી શોઝ પણ હોસ્ટ કરે છે.