Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નિઠારી કેસ પર આધારિત હશે દિલ્હી ક્રાઇમની સેકન્ડ સીઝન

નિઠારી કેસ પર આધારિત હશે દિલ્હી ક્રાઇમની સેકન્ડ સીઝન

01 October, 2019 03:48 PM IST | રાજકોટ

નિઠારી કેસ પર આધારિત હશે દિલ્હી ક્રાઇમની સેકન્ડ સીઝન

દિલ્હી ક્રાઇમ

દિલ્હી ક્રાઇમ


નિર્ભયા રેપ-મર્ડરકેસ પર આધારિત ‘દિલ્હી ક્રાઇમ’ને મળેલી અદ્ભુત સફળતા પછી હવે આ જ વેબ-સિરીઝની સેકન્ડ સીઝન તૈયાર થઈ રહી છે જેમાં નિઠારી કેસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો છે. નિઠારી કેસ ૨૦૦૬માં બન્યો હતો, જેમાં સુરિન્દર કોલી નામના એક માણસની માનસિક વિકૃતિ વચ્ચે એ વિસ્તારમાં રહેલાં ૧૮થી વધારે બાળકોને મારીને તેમનાં અંગો કાપીને કોલી ખાઈ ગયો હતો. કોલીના ઘરે આવેલી પાયલ નામની એક પ્રોસ્ટિટ્યુટ ગુમ થતાં એ કેસની તપાસ શરૂ થઈ અને એ પછી તપાસ છેક બાળકોના સિરિયલ કિલિંગ સુધી પહોંચી હતી. 

‘દિલ્હી ક્રાઇમ-2’માં દિલ્હી અને એની આસપાસના વિસ્તારમાં બનેલી તથા વિવાદાસ્પદ બનેલી ઘટનાઓને સમાવવાનું નક્કી થયું છે. પહેલાં સેકન્ડ સીઝન માટે જેસિકાલાલ મર્ડરકેસ પર કામ શરૂ થયું હતું, પણ ઑલરેડી આ કેસ પર વિસ્તારપૂર્વક સંશોધન સાથેની ફિલ્મ આવી ગઈ હોવાથી એ કેસને પડતો મૂકવામાં આવ્યો અને નિઠારી કેસને હાથમાં લેવામાં આવ્યો અને હવે એની તૈયારી શરૂ થઈ ગઈ છે.


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2019 03:48 PM IST | રાજકોટ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK