Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > મારા આત્માને અથવા તો મારા પૉકેટને શાંતિ મળે એવું જ કામ કરું છું : ઈશા ગુપ્તા

મારા આત્માને અથવા તો મારા પૉકેટને શાંતિ મળે એવું જ કામ કરું છું : ઈશા ગુપ્તા

14 June, 2022 01:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની ફિલ્મો અથવા તો પ્રોજેક્ટને પસંદ કરવાની સ્ટાઇલ હવે બદલાઈ ગઈ છે

ઈશા ગુપ્તા

ઈશા ગુપ્તા


ઈશા ગુપ્તાનું કહેવું છે કે તે પોતાના આત્માની શાંતિ માટે અથવા તો પૉકેટને શાંતિ મળે એ માટે કામ કરે છે. તેની હાલમાં જ ‘આશ્રમ 3’ રિલીઝ થઈ છે. તેની ફિલ્મો અથવા તો પ્રોજેક્ટને પસંદ કરવાની સ્ટાઇલ હવે બદલાઈ ગઈ છે. તે આ શોમાં બાબા નિરાલાની ઇમેજ મૅનેજર તરીકે કામ કરતી હોય છે. આ વિશે વાત કરતાં ઈશાએ કહ્યું હતું કે ‘મેં ખૂબ જ યુવાનીમાં મારી ઇન્ડિપેન્ડન્ટ લાઇફ જીવવાનું શરૂ કરી દીધું હતું. એવા પણ દિવસ હતા જ્યારે સ્ટુડન્ટ તરીકે હું મારી પૉકેટ મની માટે કૅફેમાં કામ કરતી હતી. જોકે આટલાં વર્ષ બાદ મેં એક પૅરામીટર બનાવી દીધું છે. મારા ઍક્ટિંગ પ્રોજેક્ટ મારા આત્માને અથવા તો મારા પૉકેટને સંતોષકારક હોવા જોઈએ. જો મને કોઈ પ્રોજેક્ટ માટે સારા પૈસા ન મળી રહ્યા હોય તો એ પાત્ર ઍક્ટર તરીકે મારા માટે ચૅલેન્જિંગ હોવું જોઈએ. નહીંતર એ પાત્ર ભજવીને મને શું મળવાનું? જોકે ભગવાનની કૃપાથી હું સારું કામ કરી રહી છું અને મારા ઘરનું રસોડું ચલાવવા માટે જ કામ નથી કરતી. હું મારી લાઇફના એ સ્ટેજ પર પહોંચી ગઈ છું કે મને સંતોષ મળે એવું કામ હું કરી શકું.’


Whatsapp-channel Whatsapp-channel

14 June, 2022 01:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK