આ શો તેમની યુટ્યુબ ચૅનલ પર શરૂ થવાનો છે
અનુપમ ખેર
અનુપમ ખેર ‘મંઝિલેં ઔર ભી હૈં’ નામના તેમના ચૅટ શો દ્વારા લોકોને પ્રેરણા આપવાના છે. આ શો તેમની યુટ્યુબ ચૅનલ પર શરૂ થવાનો છે. શોમાં એવા લોકોને આમંત્રિત કરવામાં આવશે જેમણે તમામ પડકારોને મહાત આપીને સફળતાનાં શિખરો સર કર્યાં છે. આવા લોકોની સાહસની સ્ટોરી સૌને લાઇફમાં આગળ વધવાની પ્રેરણા આપશે. આ શો વિશે અનુપમ ખેરે કહ્યું કે ‘જે પ્રકારે શોનું ટાઇટલ છે ‘મંઝિલેં ઔર ભી હૈં’ એ ચૅટ શો રહેશે જેમાં આશા, હિંમત, સમર્પણ અને અથાક મહેનત બાદ મેળવેલી સફળતાની સ્ટોરી લોકો સુધી પહોંચાડવામાં આવશે. લોકોએ કઈ રીતે સિદ્ધિ મેળવી છે એ વિશે ચર્ચા કરવાની તક મારા માટે મોટી બાબત છે જે અશક્ય વસ્તુને શક્ય બનાવવા માટે લોકોને ખૂબ મોટા પ્રમાણમાં પ્રેરણા આપશે. આશા એ સૌથી મોટી વસ્તુ છે, જે ન માત્ર અશક્ય વસ્તુને શક્ય બનાવવા માટે પ્રેરણા આપે છે સાથે જ કપરા સમયનો સામનો કરવા માટે પણ પ્રેરિત કરે છે.’