Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > અમિત સાધે શું કામ સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો?

અમિત સાધે શું કામ સોશ્યલ મીડિયામાંથી બ્રેક લીધો?

10 April, 2021 04:07 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ડિજિટલ પ્લૅટફૉર્મ પર સુપરસ્ટાર બની ગયેલા ઍક્ટરે કોવિડની વધતી જતી મહામારીને ધ્યાનમાં રાખીને લાંબી પોસ્ટ મૂકીને સોશ્યલ મીડિયાને અત્યાર પૂરતી તિલાંજલિ આપી દીધી

અમિત સાધ

અમિત સાધ


અઢળક વેબ-સિરીઝ અને ‘કાઇપો છે’ જેવી અદ્ભુત ફિલ્મોમાં દેખાયેલા અમિત સાધે ગઈ કાલે સોશ્યલ મીડિયા હાલ પૂરતું છોડી દેવાની જાહેરાત કરી. સોશ્યલ મીડિયા પર લાંબી પોસ્ટ લખીને કહ્યું કે ‘અત્યારના તબક્કે જે રીતે કોરોનાની મહામારી ફેલાઈ રહી છે એ જોતાં મને લાગે છે કે મારે મારી આત્મશ્લાઘા માટે સોશ્યલ મીડિયા પર ન રહેવું જોઈએ. સૉરી, હું અત્યાર પૂરતું આ મીડિયમ છોડું છું અને ભવિષ્યમાં એવું લાગશે તો સોશ્યલ મીડિયા પર ફરી પાછો ઍક્ટિવ થઈશ.’
અમિત અત્યારે ત્રણ વેબ-સિરીઝ કરી રહ્યો છે. અમ‌િતે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘આજના સમયમાં લોકોને ખાવા નથી મળતું ત્યારે હું કેવી રીતે જીવું છે એ દેખાડવા માટે સોશ્યલ મીડિયા પર ફોટો અપલોડ કરતો ફરું એ યોગ્ય ન કહેવાય અને એટલે હવે મારી સાથે કોઈ નવી અપડેટ મારા એક પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર નહીં આવે.’ ફૅન્સને તેણે કહ્યું હતું કે ‘મારાં બધાં અકાઉન્ટ ઍક્ટ‌િવ છે. તમે મને ડાયરેક્ટ મેસેજ કરી શકો છો, પણ હું તમને કહીશ કે સોશ્યલ મીડિયાને બદલે સોશ્યલ લાઇફમાં ઍક્ટિવ થવાનો સમય આવ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 April, 2021 04:07 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK