એને લઈને આ શોના કલાકારોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે
સુધાંશુ પાન્ડે
સ્ટાર પ્લસે તેના દર્શકોને એક અદ્ભુત ગિફ્ટ આપી છે. હવે તેમના ફેવરિટ શો ‘અનુપમા’, ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’, ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘યે હૈ ચાહતેં’, ‘પંડ્યા સ્ટોર’, ‘ઇમલી’ અને ‘રજ્જો’ જેવી સિરિયલને લોકો રવિવારે પણ જોઈ શકશે. એને લઈને આ શોના કલાકારોએ પોતાની ખુશી વ્યક્ત કરી છે. ‘અનુપમા’માં વનરાજનો રોલ કરનાર સુધાંશુ પાન્ડેએ કહ્યું કે ‘અમારા બધા માટે આ ખુશીની વાત છે, કેમ કે એનાથી અમે હવે વધુ સમય સુધી ફૅન્સ અને દર્શકો સાથે જોડાયેલા રહીશું. સાથે જ અમને અમારા કૅરૅક્ટરને વધુ એક્સ્પ્લોર કરવાની તક મળશે. અમે હવે સાતેય દિવસ આ શો લઈને આવીશું. એથી અમને તમે આવી રીતે જ પ્રેમ અને સપોર્ટ આપતા રહો.’