શૉનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે જેમાં કપિલ શર્મા, કૉમેડિયન સુનીલ પાલ અને એહસાન કુરેશી પણ જોવા મળી રહ્યા છે
ફાઇલ તસવીર
ટીવીના સુપરહિટ કૉમેડી શૉ `ધ કપિલ શર્મા શૉ’ (The Kapil Sharma Show)માં આ અઠવાડિયે કૉમેડિયન રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ એપિસોડમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર્સ જોવા મળશે. રાજુ શ્રીવાસ્તવની યાદમાં કપિલ તેના શૉનો આ એપિસોડ સમર્પિત કરવા જઈ રહ્યો છે.
શૉનો પ્રોમો રિલીઝ થઈ ગયો છે જેમાં કપિલ શર્મા, કૉમેડિયન સુનીલ પાલ અને એહસાન કુરેશી પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત, જય વિજય સચન, સુરેશ અલબેલા, ઈન્ડિયન લાફ્ટર ચેમ્પિયન 2022 વિજેતા રજત સૂદ, વીઆઈપી સહિત અન્ય ઘણા જાણીતા કલાકારો જોવા મળશે.
ADVERTISEMENT
ભાવનાત્મક છે પ્રોમો
કપિલના શૉની સમગ્ર ટીમ ગજોધર ભૈયાને યાદ કરશે અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરશે. પ્રોમોની શરૂઆતમાં કપિલ કહેતો જોવા મળે છે કે, રાજુ ભાઈનું નામ આવતા જ તેમના ચહેરા પર સ્મિત આવી જાય છે અને દરેક વ્યક્તિ હસીને તેમને શ્રદ્ધાંજલિ આપવા માગે છે. આ પછી, તમામ દિગ્ગજો પરફોર્મન્સ આપતા જોવા મળે છે. આ દરમિયાન કૉમેડિયન સુનીલ પાલ અને એહસાન કુરેશી પણ દિવંગત કોમેડિયન સાથે જોડાયેલી પોતાની યાદો શૅર કરતા જોવા મળશે. શૉનો આ પ્રોમો તમને ભાવુક કરી દેશે.
View this post on Instagram
રાજુ શ્રીવાસ્તવે 21મી સપ્ટેમ્બરે અલવિદા કહ્યું
રાજુ શ્રીવાસ્તવે 58 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું હતું. તેઓ લગભગ 42 દિવસથી વેન્ટિલેટર પર હતા. રાજુ શ્રીવાસ્તવ ટીવી ઈન્ડસ્ટ્રી અને બોલિવૂડના ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર હતા. છેલ્લા કેટલાક સમયથી રાજુ સોશિયલ મીડિયા દ્વારા જ દર્શકોનું મનોરંજન કરી રહ્યા હતા. જોકે, ટીવી શો સિવાય તેમણે બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રાજુ શ્રીવાસ્તવે શાહરૂખ ખાનની ફિલ્મ બાઝીગર, આમદની અઠન્ની ખરચા રૂપૈયા જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.