Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

રામાયણમાં રાવણનું પાત્ર ભજવનારા દિગ્ગજ અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

Published : 05 October, 2021 01:44 AM | Modified : 06 October, 2021 01:57 AM | IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

લોકપ્રિય સિરિયલ `રામાયણ` માં રાવણનું પાત્ર ભજવનારા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે.

 અરવિંદ ત્રિવેદી( તસવીરઃ કૌસ્તુભ ત્રિવેદી)

અરવિંદ ત્રિવેદી( તસવીરઃ કૌસ્તુભ ત્રિવેદી)


લોકપ્રિય સિરિયલ `રામાયણ` માં રાવણનું પાત્ર ભજવનારા ગુજરાતી કલાકાર અરવિંદ ત્રિવેદીનું દુઃખદ નિધન થયું છે. અરવિંદ ત્રિવેદીએ વર્ષ 1987માં દૂરદર્શન પર પ્રસારિત થયેલી રામાનંદ સાગરની ટિવી સીરિયલ ‘રામાયણ’માં રાવણનું પાત્ર ભજવીને ફક્ત ગુજરાતમાં જ નહીં પણ દેશ-દુનિયામાં લોકપ્રિયતા મેળવી હતી. 

અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્યપ્રદેશનાં ઉજ્જૈનમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. અરવિંદ ત્રિવેદી મૂળ સાબરકાંઠાના ઈડરના કુકડિયા ગામના વતની હતા.મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતા તરીકે અનેક ફિલ્મો સહિત નાટકોમાં અભિનય કર્યો હોવા છતા રામાયણના પાત્રએ અરવિંદ ત્રિવેદીને લોકપ્રિયતા અપાવી હતી.  



ગુજરાતી ફિલ્મોના સર્જક મનહર રસકપૂરે 1959માં આવેલી ઝવેરચં મેઘાણીની લોકકથા પર આધારિત ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’માં ફક્ત એક લાઈનના ડાયલોગ વાળું પાત્ર ભજવીને ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું.અરવિંદ ત્રિવેદીએ લગભગ 150 કરતા વધુ ફિલ્મો, સીરિયલો અને નાટકોમાં અભિનય કર્યો છે. તેમણે મુખ્ય નાયક, ખલનાયક, સહાયક અભિનેતા તથા ચરિત્ર અભિનેતાના પાત્રો ભજવ્યા હતાં.


 


Whatsapp-channel Whatsapp-channel

06 October, 2021 01:57 AM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK