તાજેતરમાં જ સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ `સરપંચ` રિલીઝ થઈ છે. ગુજરાતી ફિલ્મ જગતમાં એક અનોખા વિષય સાથે પ્રસ્તૃત થયેલી ફિલ્મની ચર્ચા થઈ રહી છે. સરપંચની વાર્તા રજૂ કરતી આ ફિલ્મમાં ચેતન દૈયા, કરણ રાજવીર અને નિરાલી ઓઝા સહિતાના કલાકારો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા કરણ રાજવીર અને અભિનેત્રી નિરાલી ઓઝાની કેમેસ્ટ્રીની નોંધ લેવા જેવી છે. બંને કલાકારના અભિનયની પણ પ્રશંસા થઈ રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે અભિનેત્રી નિરાલી ઓઝા સાથે ખાસ વાતચીત કરી હતી. તાપસી પન્નુ તથા ફેમસ તમિલ કલાકારો સાથે અભિનય કરી ચૂકેલી અભિનેત્રીએ કઈ રીતે અભિનય ક્ષેત્રમાં એન્ટ્રી કરી અને સરપંચ ફિલ્મ કેવી રીતે મળી તે વિશે વાત કરી હતી.
03 December, 2023 08:45 IST | Mumbai | Nirali Kalani
નેશનલ ઍવૉર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ (Hellaro) અને ‘૨૧મું ટિફિન’ (21mu Tiffin) ફેમ અભિનેત્રી નીલમ પંચાલ (Niilam Paanchal)નો આજે એટલે કે ૨૪ નવેમ્બરના રોજ જન્મદિવસ છે. સોશ્યલ મીડિયા પર હંમેશા સુપર એક્ટિવ રહેતા અભિનેત્રી તેમના જીવનની રોજ-બરોજની હલચલ પોસ્ટ કરતા જ રહે છે. અભિનેત્રી કિચન ટિપ્સથી લઈને ફેશન ટિપ્સ સુધી બધું જ અપડેટ કરે છે. અભેનત્રી તેમના આઉટફિટની તસવીરો પણ હંમેશા શૅર કરે છે. આજે અભિનેત્રીના જન્મદિવસે જોઈએ તેમના સાડી લૂક્સ…
(તસવીર સૌજન્ય : અભિનેત્રીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
24 November, 2023 11:30 IST | Mumbai | Rachana Joshi
ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે, અવનવા વિષયો પર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. ત્યારે ડૉ. જયેશ પાવરાનું પાવરા એન્ટરટેઇન્મેન્ટ વધુ એક દમદાર ગુજરાતી ફિલ્મ લાવી રહ્યું છે. આ પ્રોડક્શન હાઉસે અગાઉ ‘ધુંઆધાર’, ‘હું તારી હીર’, ‘ધ લિફ્ટ’, ‘કહી દેને પ્રેમ છે’ તથા ‘વિંગ્સ ઑફ ફ્રીડમ’ જેવી જુદા-જુદા વિષયો પર આધારિત ફિલ્મ પ્રોડ્યુસ કરી છે. હવે તેઓ વધુ એક અનોખી ગુજરાતી ફિલ્મ ‘અજબ રાતની, ગજબ વાત’ લઈને આવી રહ્યા છે.
ઢોલીવૂડના ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. તેહવારોની મૌસમ ચાલી રહી છે, ત્યારે અમદાવાદ સ્થિત માંગલ્ય મીડિયા અને મનોરંજન નિર્મિત ગુજરાતી ફિલ્મ `વાર તહેવાર`નું મુહૂર્ત આજે કરવામાં આવ્યું છે. એટલે કે ફેન્સને નજીકના ભવિષ્યમાં વધુ એક ગુજરાતી ફિલ્મ માણવાની તક મળશે.
આર. જે. અંતરાના રોલમાં હોય કે મોન્ટુની બિટ્ટુના...આરોહી પટેલ દરેક ભૂમિકાને ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે. ઑફ સ્ક્રીન આરોપી એકદમ સીધી સાદી છે..પરંતુ તેના અંદાજ એકદમ અનોખા છે... આજે આરોહી પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે ત્યારેજુઓ તેની ખાસ તસવીરો...
તસવીર સૌજન્યઃ આરોહી પટેલ ઈન્સ્ટાગ્રામ
ગુજરાતી ફિલ્મ પોપટ એ એક એવી ફિલ્મ છે જેમાં ફિલ્મના નાયક પોપટને ડાઉન સિન્ડ્રોમ છે અને પોપટનું પાત્ર આજય બારોટના પોતાના જીવન પર આધારિત છે. એટલે કે ફિલ્મનો કથાવસ્તુ અજય બારોટની રિયલ લાઈફ પર આધારિત છે જેનું પાત્ર પણ તેમણે પોતે જ ભજવ્યું છે. અજય બારોટ પોતે ડાઉન સિન્ડ્રોમથી પીડાય છે તેમ છતાં તેમની આ ફિલ્મમાં એક્ટર તરીકે પસંદગી કરવી એ ફિલ્મના ડિરેક્ટર ભાવિન ત્રિવેદી માટે કાબિલ એ તારીફ જેવો નિર્ણય છે.
જીવનનો સુવર્ણકાળ હોય તો, માનવામાં આવે છે કે તે બાળપણ છે. કારણકે, આ એક એવો સમય છે જ્યારે તમારા પર કોઈ પ્રકારના બંધન નથી હોતા, તમે નિખાલસ હોવ છો, જેવા છો તેવા જ દેખાઓ, દુનિયાદારીની સમજ અને દંભ-આડંબરથી પર એક એવી દુનિયા જેમાં ઘણું બધું શીખવા માટે છે. દરેક વ્યક્તિ પોતાના સ્વભાવ પ્રમાણે, પોતાના ગમા-અણગમા પ્રમાણે શીખે છે. માતાને જીવનની પહેલી શિક્ષક માનવામાં આવે છે અને ત્યાર બાદ અનેક શિક્ષકો આપણા મોટા થવાની જર્નીમાં પોત-પોતાનો રોલ ભજવે છે. સેલિબ્રિટીઝ પણ કોઇક રીતે પડદા પર કેટલાક પાત્રો ભજવીને જીવનની શીખ આપી જતા હોય છે ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝના શિક્ષકો વિશે, તેમના બાળપણ વિશે જાણવાનો નિર્ણય કર્યો છે. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તમારા ગમતા સિતારાઓએ પોતાના બાળપણમાં કેવા હતા અને તેમના જીવનની શીખ તેમને કોની પાસેથી મળી?
`ક્લાસરૂમ કન્ફેશન્સ: સેલિબ્રિટી એડિશન`ના આજના આપણાં સ્ટાર છે ભામિની ઓઝા ગાંધી. તેમણે 2021માં ઝિદ્દી દિલ માને ના, 2022માં ઓમ મંગલમ સિંગલમ, 2023માં કટહલ જેકફ્રુટ મિસ્ટ્રી જેવી અનેક જાણીતી ફિલ્મોમાં કામ કર્યું છે આ સિવાય તેમણે અનેક ગુજરાતી નાટકોમાં પણ કામ કર્યું છે. તાજેતરમાં જ તેમનું નાટક ધ વેઇટિંગ રૂમ્સ તેમના દ્વારા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં રજૂ કરવામાં આવ્યું હતું.
02 November, 2023 01:06 IST | Mumbai | Shilpa Bhanushali
મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...
28 October, 2023 01:25 IST | Mumbai | Nirali Kalani
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.