બૉલિવુડ ફિલ્મ ‘દિલ ધડકને દો’ના આયેશા અને કબીર મહેરા હોય કે ‘જાને તુ યા જાને ના’ના અમિત અને અદિતિ મહંત, ફિલ્મોમાં ભાઈ-બહેનની ઘણી એવી મજેદાર જોડીઓ છે, જેમણે લોકોને હસાવ્યા છે, રડાવ્યા છે અને સારી-ખરાબ પરિસ્થિતિમાં એકબીજાનો સાથ આપી સપોર્ટ કરતાં પણ શીખવ્યું છે. આમાં ગુજરાતી ફિલ્મો પણ પાછળ નથી. તો આવો ગુજરાતી ફિલ્મોના સિતારાઓ પાસેથી જાણીએ કઈ છે તેમની ઑનસ્ક્રીન ફેવરેટ ભાઈ-બહેનની જોડી...
ગોળ વિના મોળો કંસાર એવી કહેવત જ્યારે ખૂબ જ જાણીતી છે ત્યારે દીકરી વિના સુનો સંસાર એવું દર્શાવતી એક ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની છે. આ ફિલ્મ એટલે `મને લઈ જા`. ફિલ્મમાં મહત્વનું પાત્ર ભજવતી ગુજરાતી ગાયિકા અને અભિનેત્રી મમતા સોલંકીએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે. આ વાતચીત દરમિયાન તેમણે પોતાના ગમા-અણગમા તો વ્યક્ત કર્યા જ છે સાથે કેટલાક સીક્રેટ્સ પણ રિવીલ કર્યા છે તો આવો જાણીએ ફિલ્મ વિશે શું કહ્યું અભિનેત્રીએ...
કલર્સ ગુજરાતી (Colors Gujarati) પર આવતી લોકપ્રિય સિરિયલ ‘જોડે રે’જો રાજ’ (Jode Rehjo Raaj)એ ગઇકાલે ૫૦ એપિસોડ પુર્ણ કર્યા છે. ત્યારે તમને જાણીને નવાઇ લાગશે કે, આ સિરિયલમાં મુખ્ય પાત્ર આલિયા પટેલની માતા જસવંતીનું પાત્ર ભજવતી અભિનેત્રી રચના પકાઈ (Rachana Pakai) તેની ઉંમર કરતા લગભગ ૧૫થી ૨૦ વર્ષ મોટી ઉંમરની મહિલાનું પાત્ર ભજવે છે. આ પાત્ર ભજવવામાં અભિનેત્રીને કેટલો આનંદ આવે છે તે જાણીએ.
સ્કૅમ 1992 બાદ પ્રતીક ગાંધીને ફરી થિયેટરમાં જોવો દર્શકો માટે એક જુદો આનંદ રહેશે. પ્રતીક ગાંધીને થિયેટરમાં લાઇવ પરફૉર્મ કરતા જોવાની તક અમદાવાદવાસીઓ પાસે છે. પ્રતીક ગાંધી આ વીકએન્ડ અમદાવાદમાં છે અને શનિ-રવિ તમે તેના નાટકોનો આનંદ માણી શકો છો. આજે 23 જુલાઈ 2022ના રોજ દર્શકોને મનહર ગઢિયાના પ્રૉડક્શનમાં અને પ્રતીક ગાંધીના દિગ્દર્શન હેઠળ બનેલી એકોક્તિઓની શ્રુંખલા સાત તેરી એકવીસ તેમજ તારીખ 24 જુલાઈને રવિવારના રોજ સર સર સરલા નાટકમાં જોવાની તક છે. આ નાટક અમદાવાદમાં 23-24 જુલાઈ 2022ના રાત્રે 9 વાગ્યે, એચ. કે. હૉલ, આશ્રમ રોડ અમદાવાદમાં જોવા મળશે.
કોરોનાકાળ બાદ તાજેતરમાં ઘણી ગુજરાતી ફિલ્મો આવી છે, પરંતુ આમાંની કેટલીક ગુજરાતી ફિલ્મો એવી છે જેના વિષયના કેન્દ્રમાં બાળકો હતા પણ સંદેશો મોટેરાં માટે હતો. ક્યાંક બાળકો વડીલોને કુતૂહલ સાથે જીવતા શીખવી રહ્યા છે, તો ક્યાંક જીવન મૂલ્યોની અને અવ્યાખ્યાયિત પ્રેમની વાત કરી રહ્યા છે. તો આવો જાણીએ આવી જ ત્રણ ગુજરાતી ફિલ્મો વિશે જ્યાં બાળકોએ મોટા પડદા પરથી મોટેરાંઓને સંદેશ આપ્યો છે.
‘ગુરુઃ બ્રહ્મા ગુરુઃ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:’ બાળપણમાં દરરોજ સવારે શાળામાં આપણે આ એક શ્લોક સાથે દિવસની શરૂઆત કરી હશે. મનુષ્ચનો જન્મ થાય ત્યારથી લગભગ તેનાં મૃત્યુ સુધી જીવનનાં દરેક સમયે કોઈકને કોઈક તેને કંઈકને કંઈક શીખવે છે અને એટલે જ જ્યારે પૂછવામાં આવ્યું કે `ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગૂ પાય?`ના જવાબમાં ગુરુ કે પદવંદન કરું જિસને ગોવિંદ દિયો બતાય કહેવામાં આવે છે. ત્યારે આજે ગુરુપૂર્ણિમાના અવસરે ગુજરાતી સિતારાઓએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શૅર કરી તેમના ગુરુઓની ઓળખ અને તેમની પાસેથી મેળવેલી જીવનની અમૂલ્ય શીખ, જેને કારણે આજે તેઓ જીવનમાં આગળ વધ્યા છે. ત્યારે જાણો આ સિતારાઓના ગુરુ અને તેની શીખ વિશે વધુ...
શાળાના દિવસોનો નિખાલસ પ્રેમ, કોલેજના સમયનો અપરિપક્વ પ્રેમ અને પછી અરેન્જ મેરેજની મુંઝવણ એટલે ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ (Vickida No Varghodo). છેલ્લા બે વર્ષથી દર્શકો જે ફિલ્મની આતુરતા જોઈ રહ્યાં હતા તે ગુજરાતી ફિલ્મ ‘વિકીડાનો વરઘોડો’ આઠ જુલાઈએ થિયેટરમાં રિલિઝ થઈ રહી છે. ત્યારે ફિલ્મની સ્ટારકાસ્ટ મલ્હાર ઠાકર (Malhar Thakar), મોનલ ગજ્જર (Monal Gajjar), જીનલ બેલાણી (Jhinal Belani), માનસી રાચ્છ (Manasi Rachh) અને પ્રોડ્યુસર શરદ પટેલ (Sharad Patel)એ તેમની ભૂમિકા વિશે ગુજરાતી મિડ-ડે સાથે વાતચીત કરી હતી. તે વાતચીતના અંશ અહીં રજુ કરી રહ્યાં છે.
ગુજરાતી ફિલ્મ જગતના સુપરસ્ટાર મલ્હાર ઠાકરનો આજે જન્મદિવસ છે. આ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે એક અનોખી સરપ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. તેમના કેટલાક મિત્રો અને કૉ-એક્ટર્સે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને આ સરપ્રાઇઝમાં સાથ આપ્યો. આવો જોઈએ મલ્હારના આ ખાસ દિવસે કોણે તેમને શું કહ્યું!
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK
Radio City Gujarati : A dedicated online radio station for Gujarati natives all over the world. Devotional, lok sangeet, garba and Gujarati film music streaming all day long.