Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૨૯ ઑગસ્ટે રીરિલીઝ થઈ રહી છે વિદ્યા બાલનની પરિણીતા

૨૯ ઑગસ્ટે રીરિલીઝ થઈ રહી છે વિદ્યા બાલનની પરિણીતા

Published : 31 July, 2025 07:21 AM | Modified : 01 August, 2025 07:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મની ટક્કર સિદ્ધાર્થ કપૂર અને જાહ્‍‍નવી કપૂરની પરમ સુંદરી સાથે થાય એવી શક્યતા

પરિણીતા

પરિણીતા


સિદ્ધાર્થ મલ્હોત્રા અને જાહ્‍‍નવી કપૂર અભિનીત ‘પરમ સુંદરી’ની રિલીઝ ડેટને ‘સન ઑફ સરદાર 2’ સાથેની ટક્કરને ટાળવા માટે આગળ ઠેલવામાં આવી હતી. અગાઉ આ ફિલ્મ ૨૫ જુલાઈએ રિલીઝ થવાની હતી, પરંતુ ‘સૈયારા’ અને ‘સન ઑફ સરદાર 2’ને કારણે મેકર્સે એને ૨૯ ઑગસ્ટે રિલીઝ કરવાનો નિર્ણય લીધો, પરંતુ હવે આ નવી તારીખે વિદ્યા બાલન અને સૈફ અલી ખાન અભિનીત ૨૦ વર્ષ જૂની ફિલ્મ ‘પરિણીતા’ની રીરિલીઝ સાથે ટક્કર થવાની સંભાવના છે.  

પ્રદીપ સરકાર દ્વારા નિર્દેશિત અને વિધુ વિનોદ ચોપડા દ્વારા નિર્મિત ‘પરિણીતા’ ૨૦૦૫માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા વિદ્યા બાલને બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ મ્યુઝિકલ રોમૅન્ટિક-ડ્રામા ફિલ્મ ૨૯ ઑગસ્ટે રીરિલીઝ થવાની છે જે એક અઠવાડિયા માટે થિયેટરોમાં બતાવવામાં આવશે. આ ફિલ્મ 8K રેઝોલ્યુશન અને 5.1 સરાઉન્ડ સાઉન્ડ સાથે રજૂ કરવામાં આવશે જે દર્શકોને એક નવો અનુભવ આપશે.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2025 07:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK