અંકિતા-સુશાંતનું બ્રેકઅપ કન્ફર્મ
તેમના બ્રેકઅપ માટે ઘણી અફવા ઊડી રહી હતી જેમાં અંકિતા આલ્કોહૉલિક છે અને સુશાંત તેના પર વ્યભિચાર કરે છે એવી વાતો ચાલી રહી હતી, પરંતુ સુશાંતે ગઈ કાલે ટ્વીટ કરીને તેમના બ્રેકઅપની પુષ્ટિ કરીને તમામ અફવાઓ પર ફુલ-સ્ટૉપ લગાવી દીધું છે. સુશાંતે ટ્વીટ કર્યું હતું કે ‘તે આલ્કોહૉલિક નથી અને હું પણ મહિલાઓ પર વ્યભિચાર નથી કરતો. લોકો ઘણાં કારણસર અલગ થઈ જાય છે એ દુ:ખની વાત છે.’