Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું શું કામ સન ઑફ સરદાર 2માં નથી એની મને કશી ખબર નથી

હું શું કામ સન ઑફ સરદાર 2માં નથી એની મને કશી ખબર નથી

Published : 25 June, 2025 08:07 AM | Modified : 26 June, 2025 07:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોનાક્ષી સિંહાએ આખરે અજય દેવગનની ફિલ્મમાં તેની ગેરહાજરી વિશે સ્પષ્ટતા કરી

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા


સોનાક્ષી સિંહા હાલમાં તેની આગામી ફિલ્મ ‘નિકિતા રૉય’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. જોકે હાલમાં આ ફિલ્મના પ્રમોશન વખતે તેણે અજય દેવગનની ફિલ્મ ‘સન ઑફ સરદાર 2’ વિશે વાત કરી. સાથે જ તેણે ખુલાસો કર્યો કે તે આ ફિલ્મમાં શા માટે નથી. હાલમાં જ આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી છે. ખાસ વાત તો એ છે કે ૨૦૧૨માં રિલીઝ થયેલી ‘સન ઑફ સરદાર’માં લીડ ઍક્ટ્રેસ સોનાક્ષી હતી અને અજય સાથે તેની જોડી બધાને પસંદ પણ પડી હતી. જોકે આમ છતાં ‘સન ઑફ સરદાર 2’માં અજય સાથે નીરુ બાજવાને સાઇન કરવામાં આવી છે. 


સોનાક્ષીએ હાલમાં એક પ્રમોશનમાં ‘સન ઑફ સરદાર 2’ના કાસ્ટિંગ પરનું મૌન તોડ્યું. જ્યારે સોનાક્ષીને પૂછવામાં આવ્યું કે તે આ ફિલ્મમાં શા માટે નથી તો તેણે કહ્યું, ‘આ વિશે હું શું કહી શકું, ફિલ્મ મેં બનાવી નથી. શક્ય છે કે કંઈક હશે અથવા ફિલ્મની વાર્તા અલગ હશે. એવું પણ બની શકે કે મારા પાત્રની જરૂર ન હોય. હું શું કામ ‘સન ઑફ સરદાર 2’માં નથી એની મને ખબર નથી.’


Whatsapp-channel Whatsapp-channel

26 June, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK