દુર્ગાપૂજાને મિસ કરી રહી છે સાયન્તની ઘોષ
સાયન્તની ઘોષ
સાયન્તની ઘોષ હાલમાં દુર્ગાપૂજાને ખૂબ જ મિસ કરી રહી છે. લૉકડાઉનને કારણે તે તેના ઘરે પણ નથી જઈ શકી. તેમ જ છેલ્લા છ મહિનાથી લૉકડાઉનને કારણે દરેક વ્યક્તિ એકબીજાને પૉઝિટિવ એનર્જી આપવાની કોશિશ કરી રહી છે. જોકે આ પૉઝિટિવ એનર્જી સાયન્તનીને ‘બૅરિસ્ટર બાબુ’ અને ‘શાનદાર રવિવાર’ પાસેથી મળી છે. આ વિશે સાયન્તનીએ કહ્યું હતું કે ‘દુર્ગાપૂજા દરમ્યાન કલકત્તાનો માહોલ એકદમ અલગ હોય છે. આ તહેવારની તોલે કંઈ નથી આવી શકતું અને દરેક વ્યક્તિ એની આતુરતાથી રાહ જોતી હોય છે. કલકત્તાના દરેક રસ્તા પર એક પંડાલ હોય છે. જોકે આ વર્ષે હું દુખી છું કે હું ત્યાં નથી જઈ શકતી. ફ્લાઇટ ચાલુ છે, પરંતુ હાલની સ્થિતિ અને મારા પેરન્ટ્સની પણ ઉંમર હોવાથી હું કોઈ રિસ્ક નથી લેવા માગતી. અમારા શોનો હાલનો ટ્રૅક દુર્ગાપૂજાનો છે અને ‘શાનદાર રવિવાર’માં પણ હું દુર્ગાપૂજા પર પર્ફોર્મન્સ આપી રહી છું. આશા રાખું છું કે આવતા વર્ષે મા દુર્ગાની કૃપાથી હું ત્યાં જઈ શકું.’