Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી, ઉસકે બાદ તો મૈં અપને આપકી ભી નહીં સુનતા

એક બાર જો મૈંને કમિટમેન્ટ કર દી, ઉસકે બાદ તો મૈં અપને આપકી ભી નહીં સુનતા

Published : 16 April, 2024 06:02 AM | Modified : 16 April, 2024 06:13 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઘર પર કરવામાં આવેલા ફાયરિંગ છતાં કામ પર કોઈ અસર નહીં પડવા દે સલમાન ખાન

સલમાન ખાનની તસવીર

સલમાન ખાનની તસવીર


સલમાન ખાનના બાંદરામાં આવેલા ઘર પર ગોળીબાર થયો હોવા છતાં પણ તે કામ બંધ નથી કરવાનો. તેણે જે કમિટમેન્ટ આપ્યું હતું એને તે પૂરું કરવા માગે છે. ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી ત્રણ દીવાલ પર લાગી હતી. ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગૅન્ગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બાબા સિદ્દીકી, રાજ ઠાકરે અને મહેશ માંજરેકર જેવા ઘણા ફ્રેન્ડ્સ સલમાનના ઘરે ગયા હતા. આ હુમલાથી સલમાન ડરી નથી ગયો અને તે તેના કોઈ કમિટમેન્ટને અધૂરાં નથી છોડવા માગતો. તે હાલમાં કોઈ ફિલ્મનું શૂટિંગ તો નથી કરી રહ્યો પરંતુ તે કેટલીક ઍડ અને કૅમ્પેનનું શૂટિંગ કરવાનો છે. આગામી દિવસોમાં આ શૂટિંગ કરવામાં આવશે અને એમાં તે કોઈ બદલાવ નથી કરવાનો.


Whatsapp-channel Whatsapp-channel

16 April, 2024 06:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK