ઘર પર કરવામાં આવેલા ફાયરિંગ છતાં કામ પર કોઈ અસર નહીં પડવા દે સલમાન ખાન
સલમાન ખાનની તસવીર
સલમાન ખાનના બાંદરામાં આવેલા ઘર પર ગોળીબાર થયો હોવા છતાં પણ તે કામ બંધ નથી કરવાનો. તેણે જે કમિટમેન્ટ આપ્યું હતું એને તે પૂરું કરવા માગે છે. ગૅલૅક્સી અપાર્ટમેન્ટ પર પાંચ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાંથી ત્રણ દીવાલ પર લાગી હતી. ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રારની ગૅન્ગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ બાબા સિદ્દીકી, રાજ ઠાકરે અને મહેશ માંજરેકર જેવા ઘણા ફ્રેન્ડ્સ સલમાનના ઘરે ગયા હતા. આ હુમલાથી સલમાન ડરી નથી ગયો અને તે તેના કોઈ કમિટમેન્ટને અધૂરાં નથી છોડવા માગતો. તે હાલમાં કોઈ ફિલ્મનું શૂટિંગ તો નથી કરી રહ્યો પરંતુ તે કેટલીક ઍડ અને કૅમ્પેનનું શૂટિંગ કરવાનો છે. આગામી દિવસોમાં આ શૂટિંગ કરવામાં આવશે અને એમાં તે કોઈ બદલાવ નથી કરવાનો.