Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધુરંધર જોયા પછી સચિન તેન્ડુલકરે ફોન કર્યો એટલે રાકેશ બેદી ખુશખુશાલ

ધુરંધર જોયા પછી સચિન તેન્ડુલકરે ફોન કર્યો એટલે રાકેશ બેદી ખુશખુશાલ

Published : 06 January, 2026 11:21 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે ‘ધુરંધર’ જોઈ અને એમાં તેને રાકેશ બેદીની ઍક્ટિંગ એટલી પસંદ આવી કે તેણે રાકેશ બેદીને ફોન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી

રાકેશ બેદીએ સોશ્યલ મીડિયામાં સચિન સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી

રાકેશ બેદીએ સોશ્યલ મીડિયામાં સચિન સાથેની પોતાની તસવીર પોસ્ટ કરી


રાકેશ બેદીએ હાલમાં સુપરહિટ ‘ધુરંધર’માં પાકિસ્તાની રાજનેતા જમીલ જમાલીનો રોલ કરીને સારી એવી લોકપ્રિયતા મળી છે. રાકેશે પોતાની કરીઅરમાં મોટા ભાગે કૉમેડી રોલ ભજવ્યા છે, પણ ‘ધુરંધર’માં લોકોને તેમની ઍક્ટિંગનો અલગ જ અંદાજ જોવા મળ્યો છે અને લોકોએ એ પસંદ કર્યો છે. હાલમાં ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકરે ‘ધુરંધર’ જોઈ અને એમાં તેને રાકેશ બેદીની ઍક્ટિંગ એટલી પસંદ આવી કે તેણે રાકેશ બેદીને ફોન કરીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. સચિનનો ફોન આવતાં રાકેશ બેદી પણ ખુશખુશાલ થઈ ગયા હતા અને તેણે સોશ્યલ મીડિયામાં સચિન સાથેની પોતાની તસવીર પોસ્ટ કરીને ઉત્સાહની લાગણી વ્યક્ત કરી હતી. આ પોસ્ટમાં રાકેશ બેદીએ લખ્યું છે કે ‘‘ધુરંધર’ જોયા બાદ ક્રિકેટના ભગવાન સચિન તેન્ડુલકરનો ફોન આવતાં હું ખૂબ જ ઉત્સાહિત થઈ ગયો.’


Whatsapp-channel Whatsapp-channel

06 January, 2026 11:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK