રણબીરે પોતાને વારસામાં મળેલા મકાનનું રિનોવેશન કરાવીને એની ડિઝાઇન અને બાંધણી બદલાવી છે
‘ક્રિષ્ના રાજ’ નામ રણબીર કપૂરનાં દિવંગત દાદી-દાદાની યાદને સમર્પિત છે
રણબીર કપૂર થોડા સમય પહેલાં પાલી હિલ ખાતે રિનોવેટ થયેલા તેના નવા ૬ માળના ઘરમાં શિફ્ટ થયો હતો. રણબીર, આલિયા ભટ્ટ અને નીતુ કપૂરે પોતાની દેખરેખ હેઠળ ઘરનું રિનોવેશન અને ડેકોરેશન કરાવ્યું હતું. આ ઘર અગાઉ રણબીર કપૂરનાં દાદી-દાદાનાં નામ પરથી રાખેલા નામ ‘ક્રિષ્ના રાજ’થી ઓળખાતું હતું.
રણબીરે પોતાને વારસામાં મળેલા મકાનનું રિનોવેશન કરાવીને એની ડિઝાઇન અને બાંધણી બદલાવી છે, પણ નામ બદલાવવાને બદલે ‘ક્રિષ્ના રાજ’ જ રાખવાનું પસંદ કર્યું છે. આ ઘરની નવી નેમપ્લેટમાં પણ આ નામ લખાયેલું છે. ‘ક્રિષ્ના રાજ’ નામ રણબીર કપૂરનાં દિવંગત દાદી-દાદાની યાદને સમર્પિત છે.


