આ ફિલ્મ અમીષ ત્રિપાઠીની બુક ‘ધ લેજન્ડ ઑફ સુહેલદેવ’ પરથી બનાવવામાં આવશે.
રામચરણ , સંજય લીલા ભણસાલી
સંજય લીલા ભણસાલી આગામી ફિલ્મ વીર યોદ્ધાના સાહસ અને બહાદુરી પર બનાવવાના છે. એવું જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં રાજપૂત યોદ્ધાના રોલમાં રામચરણ દેખાય એવી શક્યતા છે. આ ફિલ્મ અમીષ િત્રપાઠીની બુક ‘ધ લેજન્ડ ઑફ સુહેલદેવ’ પરથી બનાવવામાં આવશે. રામચરણે એની સ્ક્રિપ્ટ પણ વાંચી છે. જો બધું સમું સૂથરું પાર પડ્યું તો રામચરણ સુહેલદેવની ભૂમિકામાં દેખાશે. બહરાઇચની લડાઈમાં રાજા સુહેલદેવે ગાઝી સૈયદ સાલાક મકસુદની સેનાનો બહાદુરીથી સામનો કર્યો હતો. ટૂંક સમયમાં આ ફિલ્મ અને એના લીડ ઍક્ટરને લઈને જાહેરાત કરવામાં આવશે. હાલમાં તો સંજય લીલા ભણસાલી તેમની આગામી ફિલ્મ ‘લવ ઍન્ડ વૉર’માં બિઝી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ જોવા મળશે.