Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાણો રાજપાલ યાદવને કેમ કરવું પડ્યું જેલમાં સરેન્ડર? અભિનેતાએ કહ્યું "એકદમ એકલો પડી ગયો…"

જાણો રાજપાલ યાદવને કેમ કરવું પડ્યું જેલમાં સરેન્ડર? અભિનેતાએ કહ્યું "એકદમ એકલો પડી ગયો…"

Published : 10 February, 2026 04:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

2010 માં કાનૂની મુશ્કેલી શરૂ થઈ જ્યારે અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ ‘અતા પતા લાપતા’ને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડની લોન લીધી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી શકી ન હતી.

રાજપાલ યાદવ (મિડ-ડે)

રાજપાલ યાદવ (મિડ-ડે)


બૉલિવુડ અભિનેતા રાજપાલ યાદવે 2010 ના એક ફિલ્મ પ્રોજેક્ટ સાથે જોડાયેલા લાંબા સમયથી ચાલી રહેલા ચૅક બાઉન્સ કેસમાં કોર્ટ દ્વારા આપાયેલ સમયમર્યાદામાં પૈસાની ચુકવણી પૂર્ણ કરવામાં નિષ્ફળ રહ્યા બાદ તાજેતરમાં તિહાર જેલમાં સરેન્ડર કર્યું હતું.

ફિલ્મ માટે લોન



2010 માં કાનૂની મુશ્કેલી શરૂ થઈ જ્યારે અભિનેતા રાજપાલ યાદવે ફિલ્મ ‘અતા પતા લાપતા’ને પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરવા માટે મુરલી પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી રૂ. 5 કરોડની લોન લીધી. ફિલ્મ બૉક્સ ઑફિસ પર સારી કમાણી કરી શકી ન હતી, અને યાદવ લોન ચૂકવી શક્યા ન હતા. કરાર મુજબ, વધારાના રૂ. 7 કરોડ પણ ચૂકવવાપાત્ર હતા.


ચૅક બાઉન્સ થતાં, કેસ દાખલ થયા

રકમ ચૂકવવા માટે, યાદવે ઘણા ચૅક જારી કર્યા, પરંતુ અપૂરતા ભંડોળને કારણે તે ડિઓનર્સ થયા. આના કારણે તેમની સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ અનેક કેસ દાખલ કરવામાં આવ્યા, જે ચૅક બાઉન્સ ગુનાઓ સાથે સંબંધિત છે. એપ્રિલ 2018 માં, મેજિસ્ટ્રેટ કોર્ટે ચૅક બાઉન્સના કેસમાં રાજપાલ યાદવ અને તેની પત્ની રાધાને દોષિત ઠેરવ્યા અને બન્નેને છ મહિનાની જેલની સજા ફટકારી. જાન્યુઆરી 2019 માં સેશન્સ કોર્ટે આ ચુકાદો માન્ય રાખ્યો. ત્યારબાદ, યાદવ અને તેની પત્નીએ દિલ્હી હાઈ કોર્ટમાં રિવિઝન અરજીઓ દાખલ કરી.


સજા સ્થગિત, ચુકવણીનો આદેશ

2024 માં, દિલ્હી હાઈ કોર્ટે વર્ષોથી પેન્ડિંગ રહેલી છ મહિનાની સજાને સ્થગિત કરી. કોર્ટે યાદવને તેની સામેના સાત કેસોમાં દરેકમાં રૂ. 1.35 કરોડ ચૂકવવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે એવો પણ આદેશ આપ્યો કે હાઈ કોર્ટના રજિસ્ટ્રાર જનરલ પાસે પહેલેથી જ જમા કરાયેલી રકમ ફરિયાદીને પરત કરવામાં આવે.

સમયમર્યાદામાં ચુકવણી કરવામાં નિષ્ફળ 

કોર્ટે ઑક્ટોબર 2025 માં નોંધ્યું કે રૂ. 75 લાખના બે ડિમાન્ડ ડ્રાફ્ટ જમા કરવામાં આવ્યા હતા, પરંતુ રૂ. 9 કરોડની રકમ હજી પણ બાકી હતી. ડિસેમ્બર 2025 માં, યાદવના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે રૂ. 40 લાખનો ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર છે અને બાકીના રૂ. 2.10 કરોડ 19 જાન્યુઆરી સુધીમાં ગોઠવવામાં આવશે. જોકે, કોર્ટે અવલોકન કર્યું હતું કે વારંવાર ખાતરી આપવા છતાં, યાદવે તેના આદેશોનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યો.

કોર્ટે શરણાગતિનો આદેશ આપ્યો

2 ફેબ્રુઆરીના રોજ, દિલ્હી હાઈ કોર્ટે અભિનેતાને અગાઉ આપવામાં આવેલો આદેશ પાછો ખેંચી લીધો અને તેને 4 ફેબ્રુઆરી સુધીમાં સંબંધિત જેલ અધિક્ષક સમક્ષ શરણાગતિ સ્વીકારવાનો નિર્દેશ આપ્યો. આ પછી બાદ, રાજપાલ યાદવે તિહાર જેલમાં શરણાગતિ સ્વીકારી. કોર્ટના આદેશ બાદ, યાદવ એક નિવેદનમાં ભાવુક થઈ ગયો, જેમાં તેણે કહ્યું કે તે ફિલ્મ ઉદ્યોગમાં એકલા અનુભવે છે અને તેને કોઈ ટેકો મળ્યો નથી. આ પછી, અભિનેતા સોનુ સૂદે જાહેરમાં તેને ટેકો આપ્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

10 February, 2026 04:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK