Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લોકોને એવી વસ્તુ લખવાનું ગમે છે જેમાં તથ્ય જ ન હોય : રકુલ પ્રીત સિંહ

લોકોને એવી વસ્તુ લખવાનું ગમે છે જેમાં તથ્ય જ ન હોય : રકુલ પ્રીત સિંહ

07 November, 2022 02:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બૉલીવુડ ખતમ થવાને આરે છે એવી વાતોના સંદર્ભમાં તેણે કહ્યું

રકુલપ્રીત ​સિંહ

રકુલપ્રીત ​સિંહ


બૉલીવુડ ખતમ થવાને આરે છે એ વિશે પૂછવામાં આવતાં રકુલ પ્રીત સિંહે જણાવ્યું કે લોકોને એવી વસ્તુ લખવાનું ગમે છે જેમાં કોઈ વાસ્તવિકતા ન હોય. છેલ્લાં બે વર્ષથી સાઉથની ફિલ્મો ખૂબ કમાલ કરી રહી છે. ‘RRR’, ‘KGF : ચૅપ્ટર 2’ અને ‘કાંતારા’એ બૉક્સ-ઑફિસ પર ધમાલ મચાવી છે. એને લઈને એવી અટકળો લગાવવામાં આવે છે કે બૉલીવુડનું અસ્તિત્વ ખતમ થવાનું છે. એ ​વિશે પૂછવામાં આવતાં રકુલ પ્રીત સિંહે કહ્યું કે ‘આ તો માત્ર એક તબક્કો છે. લોકોને એવી વસ્તુ લખવી ગમે છે જે કામ ન કરતી હોય. આજે સાઉથની ફિલ્મો સારી ચાલે છે, પરંતુ આપણે માત્ર એક ફિલ્મની રિલીઝની જ વાત કરીએ છીએ. અન્ય ફિલ્મો પણ રિલીઝ થઈ છે અને એ સારી નથી ચાલી. મહામારી બાદ લોકોની પસંદ બદલાઈ ગઈ છે. આ માત્ર સાઉથ કે બૉલીવુડની વાત નથી, પરંતુ લોકો કેવી ફિલ્મો જોવા માગે છે એ વિશે છે. તેમને લાર્જર-ધેન-લાઇફ સિનેમા જોઈએ છે.’


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2022 02:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK