Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

05 January, 2021 05:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીનું કહેવું છે કે તેની આગામી ફિલ્મ ‘કાગઝ’ના લુક પર ખૂબ જ મહેનત કરવામાં આવી છે. આ ફિલ્મને રિયલ લાઇફ સ્ટોરી પરથી બનાવવામાં આવી છે. સાત જાન્યુઆરીએ આ ફિલ્મ Zee5 પર રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને સલમાન ખાન અને સતીશ કૌશિક દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે. તેમ જ ડિરેક્ટ પણ સતીશ કૌશિકે જ કરી છે. આ ફિલ્મમાં એક માણસ પોતે મૃત નહીં, પરંતુ જીવિત છે એ સાબિત કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરતો જોવા મળે છે. આ ફિલ્મમાં તેની અઢાર વર્ષની લાઇફને દેખાડવામાં આવશે. આ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘મારો લુક ખૂબ જ સ્મૂધલી બદલાતો જાય છે. તમે જ્યાં સુધી પહેલા દૃશ્ય અને છેલ્લા દૃશ્યના લુકને સરખાવો નહીં ત્યાં સુધી તમને એ વિશે જાણ પણ નહીં થાય.’


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2021 05:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK