Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > થોડા દિવસ બાદ શૂટિંગ શરૂ કરશે મિથુન ચક્રવર્તી : ડિરેક્ટર પથીકૃત બાસુ

થોડા દિવસ બાદ શૂટિંગ શરૂ કરશે મિથુન ચક્રવર્તી : ડિરેક્ટર પથીકૃત બાસુ

12 February, 2024 07:11 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મિથુન ચક્રવર્તીની તબિયત બગડતાં તેમને કલકત્તાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મિથુન ચક્રવર્તી

મિથુન ચક્રવર્તી


મિથુન ચક્રવર્તીની તબિયત બગડતાં તેમને કલકત્તાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમનો એમઆરઆઇ અને અન્ય ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. તેમના દીકરા મહાક્ષય ચક્રવર્તીએ જણાવ્યું કે તેઓ માત્ર રૂટીન ચેકઅપ માટે ગયા છે. તો હૉસ્પિટલ પ્રશાસન કહે છે કે તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. તેઓ સભાન છે. કલકત્તામાં મિથુન ‘શાસ્ત્રી’ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા હતા અને એ વખતે જ તેઓ અસ્વસ્થ થઈ ગયા. એ વખતે હાજર ટીમ તેમને સમયસર હૉસ્પિટલ લઈ ગઈ હતી. ફિલ્મની તેમની કોસ્ટાર દેબશ્રી રૉયે કહ્યું કે ‘હું હૉસ્પિટલમાં તેમને મળવા ગઈ હતી. તેઓ સ્વસ્થ છે. તેમને સમયસર હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમનું શૂગર લેવલ નીચે જતું રહ્યું હતું. તેઓ અસ્વસ્થ અનુભવી રહ્યા હતા. જોકે હવે તેઓ આઇસીયુની બહાર આવી ગયા છે.’
બીજી તરફ તેમની હેલ્થને લઈને આ ફિલ્મના ડિરેક્ટર પથીકૃત બાસુએ કહ્યું કે ‘હું સૌને જણાવી દઉં કે હું તેમને હૉસ્પિટલમાં મળીને આવ્યો છું. તેઓ સ્વસ્થ છે. મિથુનદાએ મને કહ્યું કે થોડા દિવસોમાં તેઓ શૂટિંગ શરૂ કરી દેશે. સાથે જ સેટ પર આવીને તેમને શું કરવું છે એ વિશે પણ તેમણે જણાવ્યું છે.’


Whatsapp-channel Whatsapp-channel

12 February, 2024 07:11 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK