તે ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે તેણે ડિરેક્ટ પણ કરી છે.
કંગના રણોટ
કંગના રનોટને લાગે છે કે તેના માટે રાજકારણમાં આવવાનો આ યોગ્ય સમય છે. અગાઉ પણ તે કહી ચૂકી છે કે શ્રી કૃષ્ણની કૃપા રહી તો તે ઇલેક્શન લડશે. તેને અનેક વખત રાજકારણમાં આવવાની ઑફર કરવામાં આવી છે. તે ‘ઇમર્જન્સી’માં ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં દેખાવાની છે. આ ફિલ્મને પ્રોડ્યુસ કરવાની સાથે તેણે ડિરેક્ટ પણ કરી છે. પૉલિટિક્સમાં આવવા વિશે કંગનાએ કહ્યું કે ‘હું ફિલ્મોના સેટ પરથી પણ રાજકીય પાર્ટીઓ સાથે લડી છું. મારા દેશ માટે મારે જે કાંઈ પણ કરવું છે એના માટે મારે સીટની જરૂર નથી. જોકે જો મને રાજકારણમાં આવવું હોય તો મને લાગે છે કે કદાચ આ યોગ્ય સમય છે. દેશે મને ઘણુંબધું આપ્યું છે. એના માટે હું દિલથી કામ કરવા માગું છું. હું હંમેશાંથી નૅશનલિસ્ટ રહી છું અને એ ઇમેજે મારી કરીઅર પર પણ અસર પાડી છે. હું જાણું છું કે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને પ્રશંસા કરી છે.’
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-dk.png)
![Read more article into app... read-more-banner](https://www.gujaratimidday.com//assets/images/image-mb.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)