Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મુખરજી પરિવારના વડીલ રોનો મુખરજીનું નિધન- કાજોલ-અયાન-તનીશાના પરિવારમાં શોક

મુખરજી પરિવારના વડીલ રોનો મુખરજીનું નિધન- કાજોલ-અયાન-તનીશાના પરિવારમાં શોક

Published : 29 May, 2025 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોનો મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રહી ચૂક્યા હતા

ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રોનો મુખરજી

ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રોનો મુખરજી


કાજોલ-તનીશા તથા ડિરેક્ટર અયાન મુખરજીના કાકા તેમ જ ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રોનો મુખરજીનું નિધન થયું છે. રોનો મુખરજીનાં અંતિમ દર્શન માટે અયાન મુખરજી, તનીશા મુખરજી અને ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના અનેક લોકો પહોંચ્યા હતા. આ અંતિમ દર્શન વખતે આશુતોષ ગોવારીકર પણ તેની પત્ની સુનીતા સાથે પહોંચ્યો હતો. રોનો મુખરજીના નિધનથી સમગ્ર પરિવાર આઘાતમાં છે, કારણ કે એક વર્ષની અંદર મુખરજી પરિવારે બે વ્યક્તિઓને ગુમાવી છે. આ પહેલાં ૧૪ માર્ચે અયાન મુખરજીના પિતા દેવ મુખરજીનું પણ અવસાન થયું હતું.

રોનો મુખરજી ફિલ્મ-ડિરેક્ટર અને સંગીતકાર રહી ચૂક્યા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં માત્ર બે ફિલ્મો ‘હવાએં’ અને ‘તૂ હી મેરી ઝિંદગી’નું ડિરેક્શન કર્યું હતું. ફિલ્મ ‘તૂ હી મેરી ઝિંદગી’ના તેઓ માત્ર દિગ્દર્શક જ નહીં, સંગીતકાર પણ હતા.


Whatsapp-channel Whatsapp-channel

29 May, 2025 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK