Gujarati Mid-day

ઇ-પેપર

ગણેશ ચતુર્થી

ગણેશ ચતુર્થી


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ડ્રેસ ફિટ ન આવતાં મારવામાં આવી હતી કરિશ્મા કપૂરને

ડ્રેસ ફિટ ન આવતાં મારવામાં આવી હતી કરિશ્મા કપૂરને

27 December, 2022 04:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્નેના લગ્નજીવનનો અંત ડિવૉર્સ પર આવ્યો હતો

કરિશ્મા કપૂર

કરિશ્મા કપૂર


કરિશ્મા કપૂરનું કહેવું છે કે તે ફેમસ હોવાથી સંજય કપૂરે તેની સાથે લગ્ન કર્યાં હતાં. બન્નેના લગ્નજીવનનો અંત ડિવૉર્સ પર આવ્યો હતો. સંજય અને કરિશ્મા એકબીજાને બાળપણથી ઓળખતાં હતાં. આમ છતાં લગ્ન બાદ બન્ને વચ્ચે વિવાદ વધવા લાગ્યો. કરિશ્મા સાથે તે મારપીટ કરતો હતો. કરિશ્માએ ઘરેલુ હિંસાની ફરિયાદ પણ કરી હતી. એમાં તેણે આરોપ મૂક્યો હતો કે ડિલિવરી બાદ ડ્રેસ તેને ફિટિંગમાં ન આવતાં સંજયે તેની મમ્મીને કરિશ્માને તમાચો મારવા કહ્યું હતું. સંજય વિશે કરિશ્માએ કહ્યું કે ‘મને એવો એહસાસ થયો કે હું ફેમસ અને સફળ ફિલ્મસ્ટાર હોવાથી તેણે 
મારી સાથે લગ્ન કર્યાં હતાં જેથી તેને પ્રેસની નજરમાં રહેવાનો પણ ફાયદો થઈ શકે.’


27 December, 2022 04:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK